SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રી સિદ્ધચક્ર તા. ૧૯-૧-૩૫ અમોધદેશના આસો. (દેશનાકાર w ભગવત્ર દર્યકt Famil છું કે આ છે ફૂક જૂe & $ $ $ જે ર અગસtes. રાજ્યનાં રાજીનામાં શાથી અપાય છે ? આ જીવ જે જે મહેનત કરે છે તે બધી સુખના માટે જે જે ચીજો મેળવવામાં આવે છે તે જ્યારે દુઃખ દેનારી માલુમ પડે છે કે તરત એને છોડી દે છે. લુંટારો મળ્યો કે તરત હાથમાંનો હીરો હાથેથી જ કાઢીને આપી દઈએ છીએ. મરતી વખતે દેવતા ઋદ્ધિ આપે તો પણ કોઈ ગ્રહણ કરતું નથી. આજની દુનિયાએ (આજના ઇતિહાસ) પણ એ વાત પુરવાર કરી આપી છે. રશિયાના ઝારે, તુર્કસ્તાનના સુલતાને, પોર્ટુગાલના તથા ઇરાનના રાજાએ, અફઘાનિસ્તાનના શાહે આ બધાએ રાજ્યનું રાજીનામું આપી દીધું, શાથી? શું ઝારને રશિયાની શહેનશાહત અળખામણી હતી ? ઇરાનના રાજાને ગાદી ગમતી નહોતી ? રાજ્યના રક્ષણ અંગે કહો કે લોભ અંગે કહો, જર્મનના કવસરે યુધ્ધમાં લાખોનો સંહાર કર્યો, કરાવ્યો છતાંયે આખરે પોતાની સલામતી ખાતર રાજીનામું દઈને-રાજને જતું કરીને ચાલ્યો ગયો ને ! વિચારો ! રાજ્યથી જિંદગી કેટલી વધારે વહાલી હશે ! આ ઉપરથી આપણે સમજી શકીએ તેમ છીએ કે રાજા હો કે રંક, કોઈપણ જીવે એક વસ્તુને (જીવનને) હંમેશાં ઇચ્છી રહ્યો છે. રાજ્ય, માલમિલકત, કુટુંબ આ તમામના ભોગે પણ હરકોઈ જીવનને બચાવવા તૈયાર છે. અશુચિમાં રહેલો કીડો તેમજ દેવલોકમાં રહેલો ઈદ્ર, એ બંનેને પ્રાણના અપહારથી થતો ભય સરખો છે. એ કીડાને પણ મરવાનું મન થતું નથી. પ્રાણ જવાનો ભય સર્વને સમાન છે. જીવનની આવી તીવ્ર ઈચ્છા શા માટે? સુખ માટે. જો મરણમાં સુખ ગણતો હોય તો જીવવું કોઈ ચાહતો નથી. હરકોઈ પ્રાણી મરણમાં દુઃખ માને છે, જીવનમાં સુખ માને છે. જીવનની ઈચ્છા માત્ર સુખના કારણ તરીકે છે. જગતભરના તમામ જીવો એક જ વસ્તુ માગે છે અને તે શું? સુખ !
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy