SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ - 1 * *79 * * * * 1 - - * * * * * * * * * ધર્મની ફળદ્વારા એ વ્યાખ્યા. કલિકાળ સર્વજ્ઞ આચાર્ય મહારાજ હેમચંદ્રસૂરીશ્વરજી શ્રુતકેવલી સમાન શ્રીમાન્ડ ધર્મઘોષસૂરિજી ધારાએ ધર્મનું બાલ, મધ્યમ અને બુધ જીવોને લાયકનું સ્વરૂપ બતાવી, માં જગતની અંદર લૌકિક દૃષ્ટિએ જન્મ આપી, પોષણ કરી બાલકને ઉછેરનાર માતા વિગેરે સગાં અને સંબંધીઓના રૂપકથી ધર્મની શ્રેષ્ઠતા જણાવી લોકોમાં ગણાતી રાજા, મહારાજા અને દેવ, દેવેન્દ્ર આદિની પદવીરૂપ ફળના કારણપણે ધર્મને વર્ણવી ધર્મની શ્રેષ્ઠતા જણાવેલી છે. આ સર્વ ધર્મનું વર્ણન ધર્મ શબ્દની વ્યુત્પત્તિથી નિરપેક્ષપણે રહીને જણાવેલા ] હોવાથી હવે ધર્મ શબ્દની વ્યત્પત્તિદ્વારા ધર્મનું વર્ણન જણાવે છે. ધર્મ શબ્દ કૃ ધાતુ ઉપરથી ઉણાદિનો જ પ્રત્યય લાવીને બનાવવામાં આવેલો છે, અને ધૃ ધાતુના અર્થો ધારણ કરવું અને પોષણ કરવું એમ બે પ્રકારે થાય છે. આ જ ધર્મશબ્દની અંદર ધાતુની અપેક્ષાએ ધારણ અને પોષણ એ બંને હકીકત લાગુ પડવી | જોઈએ. જો કે કેટલાકો સૂર્ય, ચંદ્ર, પૃથ્વી આદિકના ધારણદ્વારા એ ઈશ્વરની સત્તા સાબીત કરવા પ્રયત્ન કરે છે, પણ તેઓને સમજવું જોઇએ કે જો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી વિગેરેમાં ટે . વસવાવાળા જીવો હોય તો તે તે જીવોના આયુષ્યાદિ પુણ્યની અપેક્ષાએ જ ઈશ્વર પણ તે જ - તે સૂર્ય, ચંદ્ર પૃથ્વી આદિને ધારણ કરે, અને જો ન છૂટકે પણ ઈશ્વર કત્વવાદીઓને તેમ તે - માનવું જ પડે, તો પછી એમ કહેવું કોઈપણ પ્રકારે ખોટું નથી કે સૂર્ય, ચંદ્રાદિકને મુખ્યતાએ માં ધારણ કરનાર ધર્મ જ છે, અને કર્તૃત્વ માનવાવાળાઓનો ઈશ્વર તો ધર્મરૂપી ઈજીનનો રે | ડબ્બો જ ગણાય. વસ્તુતાએ તે કર્તૃત્વવાદીઓમાં જીવજીવાદિક અનીદ્રિય પદાર્થોને નિરૂપણ - આ કરનાર સર્વજ્ઞની સાબીતિ કરી શકે તેવુ આગમ નથી, તેથી ઈશ્વર અને તેના સર્વાપણાની - સાબીતિ માટે કત્વ, આયોજન અને ધારણા આદિકના ફાંફાં મારવાં પડે છે. આ સ્થળે તક આ વાતને વધારે નહિ ચર્ચતાં ટૂંકાણમાં એટલું જ સમજાવવાનું કે જીવનને ધારણ કરનારા જ જીવોની જીવનરક્ષા માટે સૂર્યચંદ્રાદિનું ધારવું તો શું પણ વર્તમાન જિંદગીના દરેક પ્રસંગોમાં બી. જીવનરક્ષાના સાધનભૂત પદાર્થો ધારણ કરનાર તે ધર્મ જ છે, અને તેથી જ કલિકાલ સર્વજ્ઞ - ભગવાન હેમચંદ્રસૂરિજી વિગેરે ધર્મનો મહિમા જણાવતાં નીચેની હકીકત સ્પષ્ટ કરે છે. એક ૧. કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ વિગેરે પદાર્થો જે પાપપૂર્ણ જીવોના દૃષ્ટિપથમાં વૃદ્ધિ પણ આવતા નથી, તેવા કલ્પવૃક્ષાદિક પદાર્થો ધર્મિષ્ઠ પુરુષોને ધર્મના પ્રભાવથી જ ઇષ્ટ . સિદ્ધિને કરનારા થાય છે. ૨. સંસારી જીવોની જીવનદશા સર્વ પ્રકારના દુઃખદ પ્રસંગોથી ઘેરાયેલી હોય છે તે ૬ છતાં તેવી દશામાં વર્તનારા સંસારી જીવને અપાર એવા દુઃખના દરિયામાં પડતાં બચાવી ] - લેનાર જો કોઇપણ હોય તો તે માત્ર પૂર્વભવમાં સંચિત કરેલાં પુષ્યરૂપી અત્યંત હિતૈષી છે અને અદ્વિતીય બંધુ એવો સાથે (અનુસંધાન ટાઇટલ પા. ૨) * * * * * * * * * -7y- * y* - * -- - - - -
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy