SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. વિચારનારાને પૃથ્વીના સ્થિરપણામાં ધર્મનો પ્રભાવ માનવો એમાં કોઈપણ પ્રકારની અતિશયોકિત લાગશે નહિ. આજ પુણ્યના પ્રભાવે સ્થિર રહેલી પૃથ્વી, જગતના સર્વ પ્રાણીઓને આધારભૂત છે, અને અનેક પ્રકારના ખનિજ પદાર્થો કે જે જગતના જીવોને જીવનનિર્વાહમાં ઘણા જ ઉપયોગી નીવડે છે. આ જગતમાં સૂર્ય અને ચંદ્રના ઉદયથી સર્વ જીવોને ફાયદા થાય છે અને તે સૂર્યચંદ્રના ઉદયો જે નિયમિત થાય છે તેનું કારણ જીવોનો ભાગ્યોદય જ છે. સૂર્ય અને ચંદ્રનું સ્વભાવે પણ પર્યટન થવાથી તેમના ઉદયાસ્ત થાય છે, પણ તેથી પ્રાણીઓને ઉપકાર થતો હોવાથી નંબર પાંચ પ્રમાણે તેને ઉપકારી માનવા જરૂરી છે. વર્તમાનકાળની સૂર્યચંદ્રની સંયુક્ત સ્થિતિવાળાં ક્ષેત્રોનો વિચાર કરતાં પણ ભાગ્યશાળી પુરુષોના સ્થાનભૂત દેશોમાં જ તે સૂર્યચંદ્રના સમાન ચલનથી સમશીતોષ્ણપણું હોય છે, અને તે અપેક્ષાએ પણ સૂર્યચંદ્રના સરખા ચલનથી થતું સમશીતોષ્ણપણું અનુભવવાળા લોકો, ઇતર લોકો કરતાં તે બાબતમાં ભાગ્યશાળી હોય તેમાં આશ્ચર્ય જ નથી. ૯. જે જીવનો કોઈપણ કુટુંબી નથી હોતો તેવા અનાથ જીવોને પણ સરખી રીતે આધાર આપી બચાવનાર જો કોઈપણ હોય તો તે ધર્મ (પુણ્ય) જ છે. ૧૦. કોઇપણ પ્રકારના મિત્રોને ન ધારણ કરનાર એવા પુરુષને અમિત્રો પાસેથી પણ મિત્રોનું કામ, બજાવી આપી સહારો આપનાર કોઈપણ હોય તો તે ધર્મ જ છે. ૧૧. ઈષ્ટ પદાર્થોનો સંયોગ ન થયો હોય તો તેને મેળવી આપનાર અને જો સંયોગ થયેલો હોય તો તેને ટકાવી રાખનાર એવો નાથ કોઇપણ હોય તો તે ધર્મ જ છે. ૧૨. આ પૂર્વે જણાવ્યા પ્રમાણે કેવળ આ જીવનના નિર્વાહમાં જ ધર્મનું ઉપયોગિપણું છે એમ નહિ પણ પરભવમાં થતી નરકગતિથી આ જીવને બચાવી દેનાર કોઇપણ હોય તો તે ધર્મ જ છે. ૧૩. ઉપર જણાવ્યા પ્રમાણે પુણ્યધર્મ જેમ અપૂર્વ કાર્યો કરે છે. તેવી જ રીતે નિર્જરા નામનો ધર્મ તે આ જીવને નિરતિશય એવા સર્વાપણાના વૈભવને આપી, અવ્યાબાધપદને પ્રાપ્ત કરાવી આપે છે. જાહેર ખબર પહેલા વર્ષનો અંક ૨૧ બીજા વર્ષના અંક ૨, ૩, ૨૩ ઉપરના અંકો સમિતિને જે કોઈ મોકલી આપશે તેને દોઢી કીંમત આપવામાં આવશે. જે ઉપર સિવાયના અંકો જે કોઈને ફાઈલ બનાવવા તુટતા હોય તો સવા આનાનો સ્ટેમ્પ બીડવાથી મોકલી આપીશું. સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. ભૂલેશ્વર લાલબાગ મુંબઈ નં. ૪ સુચના :- વી. પી. ચાલુ કર્યા છે હજુ જેને લવાજમ ભર્યા નથી તેઓએ તુરત મોકલી આપવા. આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy