SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૦-૧ ૨-૩૪ વ્યાખ્યાન બાંધીને વાંચ્યાનો પુરાવો આપવો. ૧૧. વ્યાખ્યાન વાંચતા મુહપત્તિ વીધેલા કાનમાં ભરાવવી એવો પુરાવો વિધાનવાળો આપ્યા પછી તેની પ્રમાણિકતા જોવાય. ૧૨. કાન ન વીંધ્યા હોય તો પણ વસતિ પ્રમાર્જતાં મુખ બાંધી શકાય છે એમ તમે માનો છો એટલે સાધુ થતાં પડિલેહણ કરવા કાન વીંધવા એવો પાઠ તો તમારે આપવો. ૧૩. થોડે અંતરે મુહપત્તિ રહેવાથી તે સુકાશે ને યતના પણ થશે. બાંધનારે સંમૂર્છાિમની ઉત્પત્તિ ને હિંસામાં બચાવનો પાઠ દેવો. ૧૪. ચોથનું કારણ અધિકતા છે ને તે ચાલુ છે તેમજ તેની પ્રવૃત્તિનો નિશીથ આદિમાં સ્પષ્ટ લેખ છે. ૧૫. બાંધ્યાની વાત કહેનાર સર્વથા જુઠા છે. તો તે માની તે પણ નવાઈ છે. (મુંબઈ સમાચાર) ૧. પત્રકશબ્દથી કાગળ જ લેવા એ જુઠું હતું ને ? શાસ્ત્રકારે તો તાડપત્રાદિ લીધાં જ છે. ૨. ત્રણ કાણાંથી પ્રતનું લાંબાપણું ને તેથી મુહપત્તિનો હેતુ ગણાય. ૩. વસ્ત્રમાં લખેલ પત્રક કહેનારે અનુ0 નો દ્વન્દ્ર જોવો. ૪. ઇ.સ. પૂર્વે પાંચમીનો લેખ આપવો. ૫. રૂથો વિમાં બાંધવાનો અર્થ કલ્પિત છે એમ માન્યું તે ઠીક છે. વિધિ દીયા થી બાંધવાનો અર્થ કહેનારને શું કહેવું? ૬. ઉપધિમાં અશક્તિ કારણ ગણાય અહીં તો દરેક આંટે પ્રાયશ્ચિત છે. ૭. હાથથી યોગમુદ્રા છે તો તેમાં આપેલ મુહપત્તિધારણનો અપવાદ મુખને નહિ વળગે. ૮. ૩૫મુરવે ને સ્થાને ૩પપુરવશof નો પાઠ લાવવો. ૯. આઠ પડ મુહપત્તિના હોય એ વાતને બાંધવામાં સમજનારે વાંચતાં ધ્યાન રાખવું. ૧૦. તે દેશનાના અધિકાર છે જુઓ શ્રાવ રેશનાં ૧૧. વિધિપ્રપા નથી એમ નહિ પણ જિનભદ્ર અને શીલાંકાચાર્યની વિધિપ્રપા બતાવવી. ૧૨. શ્રી ઉત્તરાધ્યયન, પંચવસ્તુ, ઓઘનિર્યુક્તિ આદિમાં પડિલેહણ વિધિ છે. ત્યાં ઉપધિ પડિલેહણ કરતાં બંધન છે? ૧૩. અન્યો ન વાંચે ને સ્નાતસ્યા ન કહે તેમાં ઈતરનું જોર નહિ. ૧૪. પાંચમ કરનાર નિશીથચૂર્ણિને માને છે કે તેમાં એક જ તિથિ કહી છે. ૧૫. “મુહપત્તિના વિષયો વિષે ચર્ચા ધશે નહિ એમ હું જ્યારે સર્વ ગચ્છોના મુનિઓને આમંત્રણ આપવાને મળ્યો હતો ત્યારે મેં (વાતાવરણની શાંતિ માટે) કબુલ કર્યું છે.” એ વાક્ય વિચારશો તો કબુલાત કોણે લીધી તે જણાશે. (સ્વ. પત્ર) ૧) અનંતાનુબન્ધી અને દર્શનમોહનીયને શમાવનાર કે ખપાવનાર સર્વવિરતિ કરતાં અસંખ્યાતગુણી નિર્જરાવાળા છે, અને તે સમ્યગ્દર્શનનો હેતુ છે, એ વાત તત્વાર્થ તથા આચારાંગ એ બન્નેના પાઠોથી સિદ્ધ છે. (૨) ધર્મની ક્રિયા ને અનન્તાનુબન્ધી આદિનો ક્ષય વિગેરે ભિન્ન છે એમ સ્પષ્ટ (અનંતાનુબંધી અને દર્શનમોહનીયના ક્ષાદિથીજ સમ્યગૃષ્ટિપણું થાય છે, એ વાત જૈન બાળકો પણ સમજી શકે છે.
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy