________________
શ્રી સિદ્ધચક
તા.૧૯-૧૦-૩૩
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ .
&માધાનકાર: #કષ્ટાર્શત્ર પાટૅગત આગમોધ્ધાટ9 શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
BURUZ Alavede
EHEIDE
પ્રશ્ન પ૨૯-રાત્રીએ અને દિવસના સમયે કોઇપણ વખતે સામાયિક થઇ શકે છે કે નહિ ? સમાધાન-જરૂર થઈ શકે છે. સામાયિક એ એવી વિધિ છે કે તેને રાત્રિનો અથવા દિવસનો બાધ
આવતો નથી. ગમે તે સમયે સામાયિક કરવું અને તેનો લાભ મેળવવો એ સરળ અને
પદ્ધતિસરનું છે. પ્રશ્ન પ૩૦-ભગવાન મહાવીરદેવને પારણુ કરાવવાની ભાવનામાં જીરણશેઠ એટલી હદે પહોંચ્યા કે
તેમણે દેવદુંદુભિ ન સાંભળી હોત તો કેવળજ્ઞાન થઈ જાત, તો આ ભાવના કયા ગુણસ્થાનકની ? સમાધાન-એ ભાવના પાંચમા ગુણસ્થાનકની છે. કારણકે તેથી તો તે બારમે દેવલોક ગયા. પ્રશ્ન પ૩૧-મન અને ઇન્દ્રિય ગણી શકાય કે નહિ. ? પાંચ ઇદ્રિયમાં એનું સ્થાન ક્યાં અને કેવી રીતે ? સમાધાન-મન એ ઇન્દ્રિય નથી, પણ નોઇન્દ્રિય છે, પરંતુ તેથી એમ માની લેવાની જરૂર નથી કે મન
શક્તિહીન છે, અથવા તે કાંઈ કામ કરતું નથી. શરીરની સઘળી ઇન્દ્રિયોમાં મનનો વ્યાપાર ચાલુ છે અને શરીરની સઘળી ઇન્દ્રિયોમાં મન પ્રવર્તે છે. માત્ર સ્વપ્ન, સંકલ્પ, ધારણા એ ત્રણ વસ્તુમાંજ મન એકલું પ્રવૃર્તે છે. શ્રી નંદીસૂત્ર અને શ્રી તત્વાર્થ સૂત્રમાં
મનને નોઇન્દ્રિય તેમજ અતિન્દિરૂપે વ્યપદેશ કરેલો છે. પશ્ન ૫૩૨-જો સુખાવરણીય કર્મ નથી તો પછી આત્માનો અનંત સુખ સ્વભાવ કયા કર્મથી રોકાયેલો
રહે છે ? સમાધાન-મહાશક્તિ સંપન્ન આત્માના હાથમાં સોય આદિ અલ્પ સાધન હોવાથી ભેદવા લાયક
પાટડાને તે ભેદી શકતો નથી ચક્ષુને ચશ્માની માફક, તેવીજ રીતે સાતા અને અસાતા
વેદનીય તે સુખ સ્વભાવને મર્યાદિત કરનાર છે. પ્રશ્ન પ૩૩-દુનિયામાં સુખ તરીકે જે કાંઇ ઓળખાય છે, તે સુખ શું કસ્તુરીઆની ભ્રમણા અનુસાર
આત્માના સુખનોજ આભાસ છે કે બીજું કાંઈ ?