________________
૩૨
તા.૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર વાક્ય પણ છે. વસ્તુને જાણવાના ત્રણ પ્રકાર છે. આ અર્થની પુષ્ટિમાં મહાત્મા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું છે કે :
આ રીતે આ વસ્તુને જાણવાના ત્રણ પ્રકાર છે. સત્વ, સ્યાદ્ભતું અને સદેવમાં નયાભાસ છે. સત્ કહીએ તે નયનો પ્રકાર છે અને સ્વાતુસ કહીએ તો એ પ્રમાણવાક્ય છે. શાસ્ત્રોમાં કોઈ જગાએ સ્થાત્ શબ્દ જોડીને સૂત્ર કહ્યું નથીજ. ધમો મંત્ર “એ વાક્ય પ્રસિદ્ધ છે. પણ એ વાક્યના કે બીજા કોઈપણ વાક્યના માત્ર શબ્દોનોજ તમારે શુષ્ક રીતિએ આશ્રય લેવાનો નથી, એ તમારા ખુબ ખ્યાલમાં રાખવાની જરૂર છે. જો ધર્મનેજ તમે ઉત્કૃષ્ટ મંગલ છે એમ એક સિદ્ધાંત તરીકે માનશો તો એ માન્યતા તમોને પારાવાર સંકટમાં ઉતર્યા વિના રહેવાની નથી. તમે જાણો છો કે તમે જેને ધર્મ કહો છે તેનેજ કાંઈ આખી દુનિયા ધર્મ માનતી નથી. તમે બકરાનો જીવ બચાવવો એને ધર્મ માનો છો ત્યારે બીજા કેટલાક એવા પણ નંગો પડયા છે કે જેઓ દેવીની આગળ બકરો કાપવો એનેજ ધર્મ માને છે? શું દરેકનો ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે? હવે તમે એમ કહેશો કે ધર્મ એજ મંગલ છે તો આ રીતે બકરાનો વધ કરનારાના ધર્મને પણ તમો ઉત્કૃષ્ટ મંગલ કહેશો ખરાને? જો તમે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે એવા વાકયને વળગી રહેશો તો તમારે બકરાનો વધ કરનારાના ધર્મને પણ મંગલ માનવું પડશે. આ આપત્તિ ન આવે તે માટે હવે માનવું પડશે કે દ્રવ્ય ધર્મ તે ઉત્કૃષ્ટ મંગલ નથી, પણ ભાવ ધર્મ તેજ ઉત્કૃષ્ટ મંગલ છે. ત્યારે જ્યાં દ્રવ્ય ધર્મ છે તેને તમે ઉત્કૃષ્ટ મંગલ કહી શકતા નથી પરંતુ જે સ્થળે ભાવ ધર્મ છે ત્યાંજ તમે ઉત્કૃષ્ટ મંગલ એમ કહી શકો છો. ધર્મથી જે ઉત્કૃષ્ટ મંગલ છે તેજ આપણું સાધ્ય છે એવો સિદ્ધાંત માનશો તો જે સ્થાનપર આત્મામાં કર્મનો સદ્ભાવ હોય તે સ્થાન પર જે વસ્તુ કર્મના સંવર અને નિર્જરા કરે છે તેનેજ ઉત્કૃષ્ટ મંગલ માનવી પડશે. જે આત્મામાં કર્મનું બંધન-સત્તા ઉદય પામેલી નથી, તે આત્મામાં અથવા તે આત્માને માટે કાંઈપણ કાર્ય કરી શકતો નથી, તમારા આત્મામાં કર્મસત્તા ઉદયમાં છે ત્યાં સુધી ધર્મ તમારા કર્મનો નાશ કરશે, પણ જ્યાં કર્મસત્તાનો ઉદયજ ન હોય ત્યાં ધર્મ, નાશ કોનો કરશે? સિધ્ધોમાં ધર્મ સંપૂર્ણ અંશે રહેલો છે પરંતુ તેમનામાં રહેલો ધર્મ કર્મનો એક કણીયો પણ ખસેડી શકતો નથી આ ઉપરથી નક્કી થાય છે કે જેમનામાં કર્મની સત્તાનો ઉદય છે તેમનાથી જે ધર્મ થાય છે તેજ ધર્મ સંવર અને નિર્જરા કરાવે છે, જેમનામાં કર્મસત્તાનો ઉદય નથી. તેમનાથી એ ધર્મ થાય છે તે ધર્મ સંવર અને નિર્જરા કરાવતો નથી. જે સિધ્ધો છે તે સિધ્ધોમાં પણ ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણે વસ્તુઓ રહેલી છે, છતાં તે કર્મનો એક કણીયો પણ ખસેડતો નથી તો પછી હવે તમને વિચાર કરો કે ધર્મએ ઉત્કૃષ્ટ મંગલ છે તો એ ઉત્કૃષ્ટ મંગલનું ફળ ક્યાં ગયું? એક શાસ્ત્રવાક્ય એમ પણ કહે છે કે, જેઓ મને ભવ સમુદ્રથી પાર ઉતારે તે મંગલ હવે સિધ્ધો જેવા ક્ષાયિક ભાવમાં રહેલાને એ મંગલ પાર ઉતારીને ક્યાં લઈ