________________
તા. ૩-૧૦-૩૩
૨૪
શ્રી સિદ્ધચક પ્રધાન- મહારાજ ! આપનું કથન સર્વથા સત્ય છે, પણ તે સાથે હું આપશ્રીને એ વાતની પણ
ખાતરી આપું છે કે હું ખાલી આપની પ્રસંશા કરતો નથી, પણ રાજ્યની સત્ય સ્થિતિજ આપની આગળ જાહેર કરું છું”
સેવા તમારી હું કરું નહિ સ્વાર્થ મારો સાધવા, યત્નો સદાએ આદરૂ રે ! ભદ્ર રૈયતનું થવા; મિથ્યા પ્રસંશા આપની ત્રણ લોકમાં હું ના કરું,
છે સત્ય દીલનો શબ્દ ત્યાં નાપાપ પંથે સંચરૂ. હું તો માત્ર આપને એજ કહેવા માંગુ છું કે આપના પવિત્ર રાજ્ય કાર્યભારથી અને કુમાર સ્કંધકના કુશળ વહિવટથી આપણી પ્રજા આનંદ પામી રહી છે. આપની પ્રભુતાને
જગત વધાવે છે અને તમારું નામ લેતાંજ પુરજનોના હૃદયમાં હર્ષ ઉભરાઈ આવે છે ! મહારાજા-તો પ્રધાનજી ! એ સઘળાના યશના ભાગીદાર તમે પણ છો. કારણ કે -
ગણી સંતાનવતું મારા તમે સહુ લોક સંભાળો, અને બહુ પ્રેમથી મારી પ્રજાને નિત્ય પાળો છો. દુઃખો રાખી દયા દિલમાં તમે બહુ પ્રેમથી ટાળો
અને આનંદની વર્ષા નગર પર નિત્ય વાળો છો. એ તમારા ઉપકારભારમાં પણ જનતા દબાયેલી છે. એ તમે શા માટે ભૂલી જાઓ છો વારૂં પ્રધાન- મહારાજનું કથન મને માન્ય છે, મહારાજનું પ્રજાને પ્રેમથી પાળવાનું ફરમાન છે અને
તે પ્રત્યે મને માન છે. જે ઇન્સાન છે, તે મહારાજાને શીર નમાવે છે, અને તેના ઉપર જગતની આ નીતિ છે, તો પછી રાજ્યની મેં સેવા કરી છે, એમાં શું મોટું કાર્ય કર્યું છે; વારૂં! જેમ સૂર્યના તેજથી ચંદ્ર પ્રકાશે છે તેજ પ્રમાણે આપની પ્રતિભાથીજ મારી પ્રભા પણ ભાસે છે.
(પ્રતિહારી આવે છે.) પ્રતિહારી- મહારાજપુરોહિત શ્રીપાલકદેવ બહાર પધાર્યા છે અને તે અંદર આવવાની આજ્ઞા
માંગે છે. તેમની વિદ્વતા તે આપને દર્શાવશે અને આપ જે ઇનામ આપશો તે લઈને રાજી થશે. ખુશીથી પ્રતિહારી ખુશીથી ! વિદ્વાનો, કવિઓ અને તત્વજ્ઞોને માટે મારી રાજસભાના દ્વારા સર્વદા ઉઘાડા છે. તેને અંદર મોકલો.
અપૂર્ણ. નવા ગ્રાહકોને - નવા ગ્રાહક થનારાઓને નમ્રતા પૂર્વક વિનંતી છે કે જે અંકથી લવાજમ ભરશે તે અંકથી તે ગ્રાહક બાર માસ સુધી ગણાશે, જાના અંકો તેમને મોકલી શકીએ તેટલી સીલ્વક રહેતી નથી.
તંત્રી. સિદ્ધચક