________________
- સંપાકે
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्र मुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ. તે મુંબઈ, તા. ૮-૧૦-૩૪ સોમવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૨૪ મો. ભાદરવા વદ ૦))
વિકમ , ૧૯૯૦ • આગમ-રહય. •
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ પ્રથમ મહાવ્રતની મુખ્યતા.
પૂર્વોક્ત રીતિએ જૈનશાસનનું પૃથિવીકાય આદિ છ પ્રકારના જીવનકાયની રક્ષાનું ધ્યેય હોવાથી જૈનોના સૂત્રોમાં સ્થાન સ્થાન ઉપર છ જવનિકાયની દયાનું મુખ્યતાએ નિરૂપણ હોય છે, અને તે છે જીવનિકાયની દયાના માર્ગે ભવ્ય જીવોને લાવવા માટે જૈનશાસનમાં એક એક સૂત્રમાં અનેક અનેક વખત છ જીવનિકાયનું નિરૂપણ તેની માનસિક, વાચિક કે કાયિક કરાતી, કરાવાતી કે અનુમોદાતી હિંસામાં