________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
મા સાગર સમાધાનક
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદસિદ્ધાંત સધા-સ્ત્રાવી આગમના અખંડઅભ્યાસી
આગમ દ્વારકઆચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસગણી, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાએ રૂબરૂ અગર
પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો) શ્રી આચામાસ્લ વર્ધમાન તપોનિષ્ણાત શ્રી ચંદ્રસાગરજી મહારાજ
પ્રશ્ન પર- કેટલાક કહે છે કે શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે શ્રમણસંઘે ચાલવું જોઈએ એ કથન સર્વથા
વ્યાજબી છે, પણ તેઓશ્રીના વર્તનનું અનુકરણ કરવાનું છે એમ સમજવાનું નથી, એ માન્યતા શું સાચી છે ! સમાધાન- જેઓ શ્રીજિનેશ્વર ભગવાનના વર્તનનું અનુકરણ કરવાનો નિષેધ કરે છે, તેઓ શું જિનેશ્વર
ભગવાનનું કથન અને વર્તન ભિન્ન છે એમ માને છે? જો ભગવાનનું કથન અને વર્તન ભિન્ન હોય અને તે બંનેમાં ભગવાનનું વર્તન ઉત્તમ હોય છે. શ્રી ભગવાનના વર્તનમાં અનુત્તમતા શી રીતે હોઈ શકે ? અને ભગવાનનું વર્તન ઉત્તમ હોય તો શું જિનેશ્વર ભગવાનનું કથન ઉત્તમ નથી ? અને કથન ઉત્તમ હોય છે એમ શં તેઓ માને છે ? જો એમ માને તો તેમને એજ નિશ્ચય કરવો પડે કે શુદ્ધ માર્ગને ઉત્પન કરવામાં કે કહેવામાં કહેનારની કંઈ પણ જવાબદારી નથી અને તેમ માનીએ તો કુદેવ, કુગુરૂ તરીકે મનાયેલી વ્યક્તિો શુદ્ધ ઉપદેશ આપે, એટલે તેઓનું સુદેવ સુગુરૂ
તરીકે માનવામાં જૈનોને વાંધો નથી એમ માનવું પડે. પ્રશ્ન પર૭- ભગવાનની કથની અને કરણી બને જ્યારે એક સરખાં હોય તો પછી ભગવાનના વર્તનના
અનુકરણથીજ કલ્યાણની પ્રાપ્તિ માનવી યોગ્ય હતી. પણ તેમ ન માનતાં શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર માખણ મારાદિતા માફ થી માપITગારાહત ઇત્યાદિ વચનોથી સ્પષ્ટપણે આજ્ઞા એટલે ભગવાનના કથનનું આલંબન લઈ તદ્દનુસાર વર્તન કરનારજ ભગવાનનો સાચો આરાધક છે તથા
તેજ મોક્ષને માટે યોગ્ય પણ છે; એમ જણાવ્યું છે તેનો અર્થ શો ? ઉત્તર- પ્રથમ તો ભગવાનનું વર્તન શ્રીજીનેશ્વર ભગવાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી જણાવ્યું હતું
ત્યારેજ તે શ્રી સંઘે જાણ્યું હતું તે સિવાય ભગવાનનું વર્તન સંઘથી જાણી શકાયું નહતું. બીજું માત્ર બાહ્ય વર્તનજ ભગવાનના કથન સિવાય જણાય ખરું, પણ આંતર વર્તનતો શ્રી સર્વજ્ઞપ્રભુના કથન સિવાય જાણી શકાયજ નહિ, માટે જે કથન ઉપર આધાર રાખે છે તે શ્રીસંઘ તેજ શ્રીસંઘ સાચો આરાધક છે. ત્રીજુ મોક્ષનું કારણ એકલુંજ બાહ્ય વર્તનનું અનુકરણ નથી, પણ આત્મપરિણતિ પણ મોક્ષનું કારણ છે અને તે જેમ ભગવાન સર્વજ્ઞનાં ઉપદેશથી જાણી શકાય છે, તેવી રીતે મોક્ષ પ્રાપ્તિના કારણભૂત સમ્યગુદર્શન સમ્યગુજ્ઞાન એ બે તો સર્વજ્ઞ ભગવાનના ઉપદેશ સિવાય જાણી