________________
તા. ૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૨૪
| સમાલોચના થઈ
(નોધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલદ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) ૧ ૧૯૮૦ના કાર્તિક સુદ ૧મે ગર્ભે આવેલાને ગર્ભાષ્ટમપક્ષથી કયારે દીક્ષા થાય? ૨ જન્મથી આઠ વર્ષ પર્વતની ઉમર અને ગર્ભથી આઠ વર્ષ એવા પાઠમાં અર્થનો ફરક છે કે? ૩ ગુજરાતીમાં આઠમું બેસે ત્યારે આઠ કહેવાય છે કે ? ૪ શ્રી નિશીથચૂર્ણિ વગેરેમાં અમદૃમ કે નષ્ટ એ શબ્દો છે કે? ને અષ્ટમ અને અષ્ટનો ફરક છે કે?
ને તે કેટલો? ૫ લઘુક્ષપણામાં જન્માષ્ટને અંતર્મુહૂર્ત કેવલ છે ને શ્રીભગવતીજીના સ્નાતકને હિસાબે જન્મનવમે
ક્વલ છે કે? ૬ કેવલિકાલ જે નવવર્ષોન ક્રોડપૂર્વ ને ગુણસ્થાનનો આઠ વર્ષોન એ એકજને ? ક્રોડપૂર્વનું આયુમાન
જન્મથી કે ગર્ભથી? નવ કંઈકન્યૂન નવ ને કિંચિદધિક અષ્ટયૂન કોડપૂર્વના ત્રણ પક્ષો ગર્ભથી કે
જન્મથી ગણો છો? ૭ અષ્ટપૂર્ણવાળો દીક્ષિત હોય તો અંતર્મુહૂર્ત કેવલ લહે પણ ગર્ભાસ્ટમવાળો બાર માસ પર્યાયેજ કેવલ
પામે એમ પણ થાય છે? ૮ વાર્ષિક પર્યાય વિના જઘન્ય પર્યાયવાળાને કેવળજ્ઞાન ન થાય એમ લોપ્રકાશ વગેરેમાં સ્પષ્ટ છે કે?
(જૈનપ્રવચન) ******* ૧ જન્માષ્ટની અપેક્ષાએ લઘુક્ષપણા જણાવવાથી કેવળજ્ઞાન, સિદ્ધિ, અનુત્તરવિમાનપ્રાપ્તિ અને
શુકલલેશ્યાના અધિકારમાં જણાવેલ સાધુપણાના વાર્ષિક પર્યાય બાધિત થાય નહિ? પક્ષાંતર તરીકે
તો લઘુક્ષપણાનો અધિકાર રહે. બેની એકતા કઈ અક્કલથી ગણવી? ૨ સંગ્રહણીના અર્થમાં શુકલેશ્યાની પરમ સ્થિતિ ક્રોડપૂર્વ જણાવતાં આયુષ્યનું માન ગર્ભથી લે છે.
શ્રીભગવતીજીમાં પણ પૂર્વકોટિનું ગર્ભથી લઈને જ સામાયિકચારિત્રનું માન કહે છે. ૩ અષ્ટમશબ્દનો આઠમું એવો અર્થ નહિ પણ પૂર્ણ આઠજ છે એ કયા વ્યાકરણ, કોશ, કાવ્ય કે શાસ્ત્રના
આધારે? ગુજરાતી ભાષાદિમાં આઠમાને સ્થાને આઠશબ્દ કદાચ વપરાય, પણ તેવી આઠમાની
શરૂઆતને આઠમું નહિ કહેવું પણ આઠમાની પૂર્ણતાએજ આઠમું વર્ષ કહેવું એ શા આધારે ? ૪ જ્યાં શ્રીભગવતીજીના સ્નાતકની સ્થિતિને હિસાબે નવ વર્ષ થાય ત્યાં લઘુક્ષપણા આઠ વર્ષ અને સાત મહિના થાય તો પણ ફરક નથી કે શંકાને સ્થાન નથી એમ કેમ?
(જૈન પ્રવચન)