SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૪-૮-૩૪ પ૧ર શ્રી સિદ્ધચક્ર જ આત્માને જવું જ પડે. આત્મા સ્વતંત્ર કયાં છે? છતાં આ જીવ બેડીને ઝાંઝર માની રહ્યો છે.જો એને બેડી માનતો હોય તો એ કયારે તૂટે એવો વિચાર આવે. મોક્ષશબ્દ બધાને વહાલો છે પણ સ્વરૂપ વિચારતાં, અળખામણો થઈ પડે છે. દુનિયામાં વચનથી સંપના હિમાયતી લગભગ બધા હોય છે. કુસંપ સારો છે એવું કહેનાર દશ હજારમાં એક નહિ મળે, પણ માત્ર શબ્દની પ્રીતિ છે, પદાર્થની પ્રીતિ નથી. શબ્દની પ્રીતિ છે પણ પદાર્થની પ્રીતિ નથી એ શાથી માનવું? સંપ સારો છે એ બધાએ એકી વખતે કહ્યું તે કબુલ કર્યું, પણ એના કારણો કયા તથા તપાસી જુઓ કે તેનો અમલ કેટલા કેમ કરે છે એ પૂછો તો, એમાં પહેલાનો ઉત્તર પણ ગણ્યાગાંઠ્યા જ દે, અને અમલ કરનાર તો એક નહિ મળે. સંપના ત્રણ ઉપાયો. સંપની દિશા ત્રણજ: (૧) પોતે કોઇના પણ ગુન્હાનું કંઈપણ કાર્ય કરવું નહિ. ઉપકારી કે અપકારી, સ્વજન કે પરજન કોઇના પણ અપકારમાં વર્તવું નહિ, કોઈને પણ નુકશાન થાય એમ વર્તવું નહિ. (૨) છતાં બીજો દાઢમાં ઘાલે તો ? બીજો અપકાર કરે તો ? તો એને માફી આપવી. બીજો કોઈ કથંચિત્ એમ વર્યો હોય તો એને માફી આપવી.મારા (પોતાના) કર્મનો ઉદય છે માટે એ મારા પ્રત્યે આમ વર્યો છે એમ વિચારી એનો ગુન્હો માફ કરવો. જેમ નાના છોકરાઓ ઘણી વખત એવું કરે છે. ભાંગેલો ખડીયો હાથમાં રાખે અને બીજાનો હાથ અડકે એટલે નીચે પડીને તે ભાંગે ત્યારે બહોતાણું બીજા અડનાર માથે જાય છે. તેવી રીતે પૂર્વે કરેલા અશુભ કર્મોના ઉદયથી થતા દુઃખાદિમાં આ તો માત્ર નિમિત્ત રૂપ છે એમ વિચારવું. સમજુની કૃતિ અપકાર કરનારી હોય જ નહિ. તથા અણસમજુના અપકારની કિંમત અણસમજુ જ કરે. ગાંડો મનુષ્ય ગાળો દે એની કિંમત કેટલી ? ગાંડાના ગમે તેવા વચનો ઉપર શાણાને વિચાર કરવાનો નથી, તેવી રીતે અણસમજુના અપકાર ઉપર વિચાર કરવો એ ગાંડાઈ છે. એક વાર માનો કે અપકાર કરનાર સમજુ પણ હોય તો ત્યાં વિચારવાનું કે મારા કર્મના ઉદયે એ નિમિત્ત રૂપ થયો છે. દુનિયામાં કહેવત છે કે છાશમાં માખણ જાય અને રાંડ ફુવડ કહેવાય? શું એવું થવા દેવું ? હા ! જો એવા વિચાર ન કરો તો અપકાર, કલેશ અને કષાયના ફલમાં આવવાનો. વિરૂદ્ધ વિચાર વગેરે કરવાથી સહન કરેલો અપકાર, અપકાર ભોગવવા માટે રાખેલી સહનશીલતા ધૂળમાં મળી જાય છે, માટે અપકારનાં કાર્યોની માફી આપવી. સોનું જ ઘસાય, પથરો ઘસાતો નથી. તેવી રીતે અપકારની પ્રવૃત્તિમાં આત્માને શુદ્ધ સ્થિતિમાં ઉત્તમ ભાવનાવાળા જ રાખી શકે છે. કોઇનો પણ મેં અપરાધ કર્યો હોય તો ખમાવું છું, હું પણ ખમું છું આમ બે પ્રકાર રાખવાનું કારણ કે પોતે અપરાધના કાર્યથી દૂર રહેવું અને બીજાને એ માટે માફી આપવી. સંપના ઉપર
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy