________________
૫૦૯
શ્રી સિદ્ધચક્ર
તા.૨૪-૮-૩૪
મધદશાના
આગમોધારક
(દેશનાકાર)
'લજ્જવતી
2 DICO
સૂત્રો નજર || દds.
Full
आर्तध्यानारव्यमेकं स्यान्मोहगर्भ तथापरम् सज्ज्ञानसंगतं चेति, बैराग्यं त्रिविधं स्मृतम्
॥१॥
વસ્તુનું નિત્યાનિત્યપણું.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પંચસૂત્ર પ્રકરણમાં આગળ સૂચવી ગયા કે ધર્મમાં પ્રવેશ કરનારે બે વસ્તુ સંસ્કારમાં પ્રવેશ કરાવવાની જરૂર છે. इह खलु अणाई जीवे अणाई जीवस्स भवे अणाइकम्मसंजोयनिव्वत्तिए
આ સંસારમાં આ જીવ અનાદિ છે. જીવ એકલો અનાદિ નથી. ધર્માસ્તિકાયાદિ તથા પુદ્ગલ દ્રવ્યો પણ સ્વરૂપે અનાદિ છે. તેમાં પુદ્ગલમાં પણ પલટો પર્યાયોનો થાય છે, પુગલ પોતે નવું થતું નથી. ઉત્પત્તિ કે નાશ દ્રવ્યના નથી પણ અવસ્થાના છે; માટીની ઠીબ, ઘડા, ઠીકરી વિગેરેમાં અવસ્થા બદલાય પરંતુ મૂળ વસ્તુ જે તેના કણીયા છે તેનો નાશ નથી. આ ઉપરજ જૈનશાસનઃ વસ્તુ દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે, બન્નેની અપેક્ષાએ નિત્યાનિત્ય છે, આવી માન્યતા એ જ જૈનશાસનની જડ છે.
શંકા-જ્યારે બીજા પદાર્થો પણ અનાદિના નિત્ય છે તો એકલા જીવને અનાદિ કહી સંસ્કાર કેમ નાંખો છો?
એનું કારણ આ છે. ધર્માસ્તિકાય વિગેરે માત્ર જાણવાના છે. એને નિત્ય જાણીને આપણા વર્તનમાં ફેરફાર કરવાનો નથી, પણ જ્યારે જીવને નિત્ય જાણીએ ત્યારે વૃત્તિમાં ફેર થવાનો. દેખાવમાંની જે પદ્ગલિક વસ્તુઓ કે જેને આધારે આપણે પ્રવર્તીએ છીએ એ સર્વનો સંયોગ અનિત્ય છે એમ માલમ પડે અને જીવ નિત્ય છે એમ માલમ પડે અને એ અનિત્ય સંયોગવાળાને અંગે જ આપણે બંધાતા હોઇએ એમ જણાય તો તરત વિચાર થાય કે