________________
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્વારક.” દ્વિતીયવર્ષ.
મુંબઇ, તા. ૨૪-૮-૩૪ શુક્રવાર 1 વર-સંવત્ ૨૪૬૦ અંક ૨૨ મો. શ્રાવણ સૂદિ પૂર્ણિમા
વિક્રમ , ૧૯૯૦ • આગમ-રહસ્ય. ૦
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ લોકાંતિકો ધર્મ પ્રવર્તાવવાની વિનંતિ કયારે કરે ?
લોકાંતિક દેવતાઓ તેઓશ્રીને સંયમ લેવા જે વિનંતિ કરે છે, અને તે સંયમ ગ્રહણ કરવાધારાએ બીજા જીવોને પણ ચારિત્ર પ્રાપ્તિનું નિમિત્ત બની ધર્મતીર્થ પ્રવર્તાવવાનું કહે છે તે વિગેરે સર્વ ભગવાન જિનેશ્વર મહારાજના ચારિત્ર ગ્રહણ કરવા માટે સ્વયં થયેલા પરિણામની પછી જ કહે છે. જો કે સ્વયં ચારિત્ર ગ્રહણ કરવાને ધર્મતીર્થ પ્રવર્તાવવા તૈયાર થયેલા જિનેશ્વર ભગવાનને તે લોકાંતિક દેવતાનું