________________
તા. ૩-૧૦-૩૩
૧૪
શ્રી સિદ્ધયક આ બધી મુખઇઓ છે. શ્રીમંત માણસોને આવું સન્માન અપાય છે એ સન્માન જો તે માણસમાં માણસાઈનો કંઈ પણ અંશ ન હોય તો તેણે સ્વીકારવું પણ નજ જોઈએ, કારણ કે તમે એ માણસને જે સન્માન આપો છો તે શું તેના વ્યક્તિત્વને માટે છે? નહિ, એ સન્માન તમે તેના દ્રવ્યને આપો છો, જો એવા પાસે દ્રવ્ય ન હોય તો તમે એની સામે પણ ન જુવો. પુરૂષ મોટો કે પૈસો ? શ્રીમંતાઈને લઈને કોઈ માનપાત્ર લખવો નજ જોઈએ, પણ આજે
તો માન પામનાર અને માન આપનાર બંને આ પ્રકારની ભૂલો કરી રહ્યા છે. પરંતુ એ ભુલ સુધારીને તમારે સાચું સન્માન આપતાં શીખવાની અનિવાર્ય જરૂર છે, જો તમે આવું સાચું સન્માન આપતા શીખશો, તો તમે જેને એવું સન્માન આપશો, તેનું પણ હિત થશે અને તમારું પણ હિત થશે એ સાચું સન્માન તે આત્માનું સન્માન છે જેના આત્મામાં આત્માનો વિવેક પ્રગટ થયો છે. તેવાના આત્મા વાસ્તવિક સન્માન લેવાને યોગ્ય છે, તેને તમે સન્માન આપો એમાં જરા પણ વાંધો નથી, એટલું જ નહિ, પણ એ રીતે સન્માન આપીને તમારી જાતને પણ ધન્ય બનાવો છો જેના આત્મામાં આવી જાતનો વિવેક છે. તેજ આત્માવાળું શરીર એને તમે ઉત્તમ મનુષ્ય કહી શકો છો. જો આત્મામાં વિવેક ન હોય તો તમે બીજી રીતે ગમે એટલા આગળ વધેલા હો, શ્રીમંત હો, દ્રવ્યવાન હો, પણ તમારી એ બધી મહત્તા નકામી છે, મહત્તાની ઉત્તમતા ત્યારેજ છે.
જ્યારે આપણો આત્મા સંસ્કાર પામેલો થાય એ સંસ્કાર વગરનું સર્વ કાંઈ નકામું છે, તમે સંસારમાં રચેલા પચેલા ભલે રહો પણ છતાં તમારે એ વાત તો વિચારવી જોઈએ કે આજે શ્રીમંતને જે માન મળી રહ્યું છે તે કેટલે દરજે યોગ્ય છે? માન તેને નથી, પણ તેના દ્રવ્યને મળે છે, એ માન સુવર્ણને છે, સુવર્ણનો પાટ તમે દિલ્હીમાં વેચો, આફ્રીકામાં લઈ જઈને વેચો, કિંવા ઈગ્લાંડના બજારોમાં તેની હરરાજી કરો તો પણ એની કીંમત ઉપજવાની છે. એક શ્રીમંત પાસે કરોડો રૂપિયાનું ઝવાહીર હોય, અને એ શ્રીમંત મરણ પામે એથી એ ઝવાહીરની કિંમત ઘટી જતી નથી, એની કિંમત તો જેમની તેમજ રહે છે હવે ત્યારે મનુષ્યના શરીરનો વિચાર કરો, મરણ પછી શરીરની કશીજ કીંમત નથી, એટલું જ નહિ, પણ તે સગાંસંબંધીઓને માટે ભારરૂપ છે. આત્માનું સન્માન. મનુષ્યની જે કીમત થાય છે, તે તેના દ્રવ્યને લીધે થયા છે, લક્ષાધિપતિ
આજે પુંજાતો હોય, સર્વત્ર સન્માન પામતો હોય, હજારો રૂપિયા મેળવતો હોય, તો તેની કીમત ગણાય છે, પણ કાલેજ જો તેની એ સંપત્તિ જતી રહી, તો તે ખલાસ તેનો તમે રતીભારનો પણ તોલ રાખતા નથી. હું તમને કહું છું કે શું આ તમારી ભૂલ નથી? તમે મુળ વસ્તુ ઓળખવાને બદલે તમે તેના કવરને ઓળખવા મંડો છો. જ્યારે મનુષ્ય શ્રીમંત હતો ત્યારે, તે સન્માનને પાત્ર હતો, માનનીય હતો, તેને તમે પૂજવા યોગ્ય ગણતા હતા, અને એનો પૈસો જતો