SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૮-૩૪ ૫૦૩ શ્રી સિદ્ધચક્ર વળી કેટલીક વખત આ પત્રમાં પ્રગટ થયેલી હકીકતો વાંચીને વાંચકો વિચારવમલમાં વહેતા થઈ સમાધાનને માટે પત્રો પાઠવે કે અન્ય પત્રો દ્વારા ખુલાસા માગે કે ઘટતી અથવા અણઘટતી ચર્ચા કરે તે સર્વના ઉત્તર કે ખુલાસારૂપે પણ સમાલોચનાની જરૂર દેખી આ પત્રમાં સમાલોચનાનો વિભાગ શરૂઆતથી જ રાખેલો છે. આ સમાલોચનાના વિભાગમાં માત્ર સૂચના રૂપે જ લખવામાં આવે છે, કારણ કે સમાલોચનીય સ્થાનો અનેક હોય એ સ્વાભાવિક છે ને તેની ઉપર પ્રત્યેક એકેક લેખથી કે વિસ્તારથી ઉત્તર કે સમાલોચના આવવાથી આ અત્યંત નાનું પત્ર સમાલોચનાથી જ ભરાઈ જાય અને તેથી આગમતત્ત્વના જિજ્ઞાસુ શાસ્ત્રીય પ્રશ્નોના પરમ આકાંક્ષાવાળા ને સુધાસાગરના શ્રોતમાં જ્ઞાન સર્જનારાઓને નિરાશ રહેવું પડે તેમજ શબ્દશ્રેણિના વિગ્રહમાં વિકરાલતા થઈ વિકૃતતા આવે માટે માત્ર સૂચના રૂપે જ સમાલોચના કરવામાં આવે છે. જો કે પૂર્વોક્ત પ્રકારે સત્યના સાથીની પવિત્ર ફરજને બચાવવા માટે જ સમાલોચનાનો સંકીર્ણ માર્ગ સ્વીકાર્યો છે, છતાં અન્ય ભદ્રિક જીવોને તે સમાલોચના અરૂચિકર કે અસમાધાનકારક થાય તેમાં આશ્ચર્ય નથી, પણ પરિણામહિતની દૃષ્ટિથી વાંચકો અને તેવા લેખકોને સત્યમાર્ગ સઝાડવા માટે સમાલોચનાનો માર્ગ મોકળો રાખવો પડયો છે. સાથે એ પણ સ્પષ્ટ કરી દઇએ તે અયોગ્ય નથી કે આ પાક્ષિકમાં આવતા લેખોની પણ અસત્યતા, અયોગ્યતા કે અસભ્યતાની જાણ થતાં તેનો સુધારો સત્વર થયો છે, થાય છે અને થતો જ રહેશે. (પા. ૫૦૪નું અનુસંધાન). ૧ શ્રી નિશીથચૂર્ણિ, પંચકલ્પભાષ્ય, બૃહતુકલ્પભાષ્યવૃત્તિ, યતિજીતકલ્પવૃત્તિ વિગેરે અનેક શાસ્ત્રોમાં દીક્ષિત થનારને અંગે પૃચ્છા, કથા અને પરીક્ષાના કારો યથાસ્થિતપણે જણાવેલાં છે, પણ એક પણ શાસ્ત્રમાં દીક્ષા આપવા પહેલાં છ માસની કે યાવતુ એક દિવસની પણ પરીક્ષા કરવા માટે મુદત જણાવેલી નથી, એટલું જ નહિ પણ શ્રીનિશીથચૂર્ણિમાં દીક્ષા દેનાર ગીતાર્થ પુરુષ ગોચરી, અચિત્ત ભોજન આધિ સાધુચર્યા જણાવે તે રૂપ કથા થયા પછી તે ઉપદેશકે જણાવેલી સાધુચર્યા પ્રમાણે વર્તવાનું કબુલ કરે તેનું જ નામ પરીક્ષા જણાવેલી છે. (પણે સળં નડું ભુવછત તો પત્રાવળનો પસી પત્રાવણઝારી કરવા) આ પ્રમાણે આચારના અભ્યાગમ માત્રનું નામ પરીક્ષા હોવાથી પંચવસ્તુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ ભુવયં એમ કહી આચાર અભ્યપગમ રૂપી પરીક્ષા સ્પષ્ટપણે જણાવી છે, પણ આ પરીક્ષાથી ઉપસ્થાપના પહેલાં કરાતી પરીક્ષા ગતાર્થ ન થાય કે અન્યતર પરીક્ષાનો સદ્ભાવ ન ગણાય તેટલા માટે ઉપસ્થાપનાવાળી પરીક્ષા સાથે જણાવતાં પુણો પરિવિવૃવન્ન, પવયવિહિ, એમ કહી પરીક્ષાની બીજી વખતની કર્તવ્યતા અને તેને માટેનો શાસ્ત્રીયવિધિ જે સ્પષ્ટ હતો તે સૂચિત કર્યો. આ બાબતમાં સાવધારિદ્વારે, સ્વર્યાપ્રર્શનાદ્રિના, સપરિમ, રૂતરશ્મિન અત્યંતરદ અને વદુતો એ બધું પ્રવચનવિધિને અનુકૂળ ઉપસ્થાપના પરીક્ષામાં થાય છે એ વિચારવું, અને તેથી જ ધર્મબિંદુમાં બંને ભાષાંતરકારોએ સ્પષ્ટપણે તે છમાસની પરીક્ષા વડી દીક્ષા માટે છે એમ ચોખ્ખા અક્ષરોમાં જણાવ્યું છે. જો કે આ ઉપરથી શંકા પડતાં કે જરૂર લાગતાં દીક્ષાર્થીને કેટલોક કાળ રોકવો પડે તેનો નિષેધ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય, પણ પરીક્ષાના નામે રોકવાનો નિયમ કરવો તે તો શાસ્ત્રીય છે એમ માની શકાય જ નહિ.) - ૨ દીક્ષા દેનારે સંઘની રજા લેવી જોઇએ ને લેનારે સ્થિતિ ન હોય તો પણ ભરણપોષણનો બંદોબસ્ત કરેલો જ હોવો જોઈએ તથા દીક્ષાર્થિને અમુક મુદત રાખવો જ જોઈએ એવું સંમેલનને નામે કહેનારે તેના ઠરાવો શાંતિથી વાંચવા જોઇએ અને ઠરાવ લખીને જ ઠરાવના નામે બોલાવું જોઇએ. (જૈન)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy