SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ તા. ૧૦-૮-૩૪ શ્રી સિદ્ધચક્ર એવા પગલિક પદાર્થને માટે કરે નહિ, છતાં જેઓ તેવી શુદ્ધ શ્રદ્ધાવાળા હોય અને આપત્તિ ટાળવા માટે લૌકિક ફળની અપેક્ષાએ આયંબિલ આદિ ક્રિયાઓ કરે તો તેવા જીવોને તે આયંબિલ આદિ ક્રિયા ભાવક્રિયા નહિ ગણાતાં દ્રવ્યક્રિયા જ ગણાય પણ શ્રદ્ધાની શુધ્ધિ હોય ત્યાં સુધી તેવી ક્રિયાઓથી મિથ્યાત્વ જ થઈ જાય છે એમ માનવું શાસ્ત્રસંગત નથી લાગતું. પ્રશ્ન ૭૧૧- ઉપધાનમાં સો લોગસ્સનો કાઉસગ્ન કરવાનો છે તો તે લોગસ્સ પૂરા કહેવા કે ચંદેસુ નિમ્મલયર સુધી કહેવા? સમાધાન-રાઇ, દેવસિ પ્રતિક્રમણ વિગેરેમાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ હોવાથી એકેક લોગસ્સના ચંદેસુ નિમ્મલયર સુધી પચીસ શ્વાસોચ્છવાસના હિસાબે અને સાગરવરગંભીરા સુધી સત્તાવીસ શ્વાસોચ્છવાસનો હિસાબ લઈ પચાસ સો, એકસો આઠ, ત્રણસો, પાંચસો વિગેરે શ્વાસોચ્છવાસના કાઉસ્સગ્નમાં ચંદેસુ નિમ્મલયરા કે સાગરવરગંભીરા સુધી લોગસ્સ ગણાય છે, પણ જ્યાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ નથી તેવા ઉપધાન, જ્ઞાનપંચમી વિગેરેના કાઉસગ્ગમાં લોગસ્સ સંપૂર્ણ ગણવા જોઇએ. પ્રશ્ન ૭૧૨- ગ્રહણની અસજઝાયમાં કલ્પસૂત્રનું વાચન થાય કે નહિ ? સમાધાન- ચંદ્ર કે સૂર્ય બંનેમાંથી કોઇનું પણ ગ્રહણ હોય તો તેમાં અસક્ઝાય છે એ વાત અનેક શાસ્ત્રોથી નિશ્ચિત છે. કલ્પસૂત્રના વાચનને અં: જઝાય સર્વથા ટાળવી જોઇએ એ પણ શાસ્ત્રમાં કહેલું જ છે, પણ અસજઝાય ટળી શકે એવી ન જ હોય તો કલ્પસૂત્રનું અવશ્ય વાચન ગણી શ્રીવિજયસેનસૂરિજી મહારાજે વાચનની છૂટ આપી છે. (અસઝાય ટાળી શકાય એવું છતાં, અને અસક્ઝાય પહેલાં વાંચી શકાય એવું છતાં અસજઝાયમાં વાંચવાનો જેઓ આગ્રહ કરે તેઓ શાસ્ત્રને કેમ આરાધતા હશે તેનો ખુલાસો તેમની પાસેથી મેળવવો.) પ્રશ્ન ૭૧૬- ઊંટડીનું દૂધ ભક્ષ્ય કે અભક્ષ્ય છે? સમાધાન- દહિં વિગેરે જેમ કાલાંતરે અભ થાય છે, તેમ ઊંટડીનું દૂધ થોડા પણ કાળાંતરે અભક્ષ્ય થાય એ વાત ધ્યાનમાં રાખવી, પણ જેમ માખણ વિગેરે અભક્ષ્ય વિગઈઓ છે તેમ તે ઊંટડીના દૂધની વિગઈ અભક્ષ્ય નથી, અને શાસ્ત્રકારો પણ પાંચ પ્રકારના દૂધ ભસ્થ વિગઈના ભેદ તરીકે જણાવે છે. પિંડનિર્યુક્તિની ટીકાના નામે જેઓ ઊંટડીનું દૂધ અભક્ષ્ય ગણાવવા માગે છે તેઓએ તે પ્રકરણ સમજવાની જરૂર છે, કેમકે તે પ્રકરણમાં આધાકર્મી અભક્ષ્યપણાનો સિદ્ધાંત મુખ્ય છે, અને મેંઢી વિગેરેના દૂધમાં તો માત્ર અન્યધર્મીની અપેક્ષાએ દષ્ટાંત છે, જો તે દષ્ટાંતને જૈનમત તરીકે લઈએ તો મેંઢીનું દૂધ પણ અભક્ષ્ય જ માનવું પડે, અને તેથી દૂધની વિગઈ પાંચ ભેદ નહિ રહેતાં ત્રણ ભેજ રહેશે. જાહેર સૂચના. અંક ૫, ૨૧ વર્ષ ૧૯; અંક ૪ વર્ષ રજૂ ઉપરના અંકો જે કોઈ મોકલી આપશે તેને ડબલ કિંમત આપવામાં આવશે. તંત્રી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy