________________
૪૮૨
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર લાગતો નથી, તેમજ પૂર્વકાળે ઉપસ્થિત એવા હીનપરિણતિવાળાઓને કાલાંતરે ઉપસ્થિત અધિક ગુણવાળાઓને વંદન કરાવતાં ગુણની આશાતના પણ લાગતી નથી.
'આ બધું સામર્થ્ય વ્યતિરિક્ત નિક્ષેપાનું જ છે, અને આ જ સામર્થ્યથી શાસ્ત્રકારો વ્યવહારને બલવત્તર જણાવે છે. જો આ વ્યતિરિક્ત નિક્ષેપાની આટલી બધી શક્તિ માનવામાં ન આવે તો શાસનની પ્રવૃત્તિનો ઉચ્છેદ જ થઈ જાય, કેમકે છઘસ્થ જીવોને પોતે વંદક હોય કે વંદ્ય હોય તો પણ કઈ પરિણતિ અને કયા સંયમસ્થાનમાં છે એનો નિશ્ચય થઈ શકે નહિ, અને તેથી છઘસ્થોનો પરસ્પર વંદ્યવંદકભાવ પ્રવર્તી શકે નહિ. જો કે જ્ઞાનગુણની અધિકતા પરસ્પરના વાચના, પૃચ્છનાદિ કે પ્રશ્નવ્યાકરણાદિના પ્રસંગથી જાણી શકાય, તો પણ દર્શનગુણનો કે જ્ઞાનાદિ ગુણના સમ્યકપણાનો નિર્ણય કે તેના ન્યૂનાવિકપણાનો નિશ્ચય છvસ્થ કરી શકતો નથી. કથંચિત્ તેનો નિશ્ચય કરવો શકય માનવામાં આવે તો પણ ભાવચારિત્રની પરિણતિ અને તેના ન્યૂનાવિકપણાનો નિશ્ચય તો છઘોને માટે અશકય જ છે. આ વ્યતિરિક્ત નિક્ષેપાના આધારે થતા છાઘસ્થિક વ્યવહારની પ્રબળતા છે એટલું જ નહિ, પણ અધિક પર્યાયવાળા સકષાયી પ્રમત્તાપ્રમત્ત એવા પણ ગુરુઓને વીતરાગ પરમાત્મદશાને પ્રાપ્ત થયેલા સર્વજ્ઞ ભગવંતો પણ અજ્ઞાત (જાહેર ન થયા) હોય ત્યાં સુધી જે વંદન આદિ કરે છે તે પણ વ્યતિરિકત નિક્ષેપાના આધારભૂત વ્યવહારનો જ પ્રતાપ છે.
વળી આકસ્મિક ભાવના અને ભાવ ચારિત્રના પ્રભાવે અન્યલિંગમાં કે ગૃહ્યલિંગમાં રહેલા જીવને વીતરાગ પરમાત્મ દશા પ્રાપ્ત થવા સાથે સર્વશપણું પ્રાપ્ત થાય છે તેમને સર્વજ્ઞપણું પ્રાપ્ત થયા છતાં પણ અંતર્મુહૂર્તથી અધિક મનુષ્યજીવન અવશેષ હોય તો જરૂર દ્રવ્યસાધુપણું લેવું પડે છે, તો તે કેવલી મહારાજ લેવાતું દ્રવ્યચારિત્ર નથી તો આગમથકી દ્રવ્યચારિત્ર, તેમ નથી તો તે નોઆગમથકી જ્ઞશરીર કે ભવ્ય શરીરરૂપ દ્રવ્યચારિત્ર, પરંતુ તે સર્વજ્ઞ પરમાત્માએ લેવાતું દ્રવ્યચારિત્ર માત્ર નોઆગમના આ વ્યતિરિકતરૂપી દ્રવ્યભેદમાં જ દાખલ કરી શકાશે, અને જો તે કેવલી મહારાજે લેવાતું દ્રવ્યચારિત્ર આ વ્યતિરિકત નામના ભેદમાં જ દાખલ કરવામાં આવે તો સર્વજ્ઞ પરમાત્માની તેઓના ગુણના આધારે જે વંદનીયતા નથી, તે આ વ્યતિરિકત નિપાના આધારરૂપ દ્રવ્યચારિત્ર લેવાને અંગે છે, અને જો આવી રીતે સર્વજ્ઞ થયેલા મહાપુરુષની પણ વંદનીયતા વ્યતિરિકત નિક્ષેપાને આધારે થાય તો પછી વ્યતિરિકત નિક્ષેપાને આરાધ્ય કોટિમાં દાખલ કરતાં કોઈપણ શાસ્ત્રાનુસારીને આંચકો લાગશે નહિ એમ માનવું ખોટું નથી. સ્નાત્રાદિકે કરાતી પૂજા તે ભાવપૂજનું ઉપાદાન કે પરિણામી કારણ નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે મુખ્ય ભાવવસ્તુના ઉત્પાદનમાં પરિણામી કારણ સિવાયનાં કારણોને વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપામાં ગણવાલાયક હોઇને જિનેશ્વર મહારાજની આજ્ઞાનું પાલન કરવું