________________
XGto
-
-
-
મ - શ્રી સિદ્ધચકા મામા પાન
તા.૨૬-૦-૩૪
બચાવવાની ક્રિયા કરવા માંડી ને આકસ્મિક સંજોગે બચાવતાં મરી ગયો. અથવા સાપ હતો બચાવવાના પરિણામે ઉપાડયો, ડર લાગ્યો ને મૂકી દીધો સુંદર પરિણામે કાર્ય તો શરૂ કર્યું, પણ આકસ્મિક સંયોગે પરિણામ પલટ્યા.
ખરાબ પરિણામે કાર્ય શરૂ કર્યું. જેમાં ભગવાન પાર્શ્વનાથજીને કાંઠે દુઃખ દેવાના પરિણામે ઉપસર્ગ કર્યા. આકસ્મિક સંયોગે સમતા દેખીને પરિણામ બદલાયા. એવી રીતે ચંડકૌશિકે ભગવાન મહાવીરને બાળી નાંખવાની ને ડંખ દેવાની ક્રિયા શરૂ કરી, પરંતુ આકસ્મિક સંયોગે “બુજઝ બુજઝ ચંડકોશિયા” એ વાકયથી પરિણામ બદલાયા, ને મોટું દરમાં ઘાલી રહેવા લાગ્યો. શાથી ? રખે મારાથી કોઈ જીવ મરી ન જાય, ખરાબ કિયા ખરાબ પરિણામે શરૂ કરી, પરંતુ પરિણામ સુંદર થયા. (શાથી ? એક પ્રભુના વચનથી.)
એવી રીતે ખરાબ પરિણામે ખરાબ ક્રિયા શરૂ કરી પણ આકસ્મિક સંજોગે કદાચ ક્રિયા સુંદર થઈ જાય જેમ વાળાના દરદવાળા માણસ માટે ઘરવાળાઓએ વિચાર્યું કે આ મરતો નથી ને માંચો ભાંગે છે તેથી એક દિવસ અક્ષણ ખવડાવ્યું. વાળાના જીવથી આ સહન ન થયું ને બધા વાળા નીકળી ગયા. ખરાબ પરિણામે ક્રિયા શરૂ કરી પણ ક્રિયાનું ફલ સુંદર આવ્યું. - '.. ' આ વાક્ય ફક્ત સુંદર કે અસુંદર પરિણામે સુદર કે અસુંદર ક્રિયા શરૂ થઈ ને આકસ્મિક પલટો થાય એ અપેક્ષાએ છે, પણ તેથી પિત્તળને સોનું માનવાથી જેમ પિત્તળને સોનાની કિંમત મલતી નથી, તેવીજ રીતે કુદેવ, કુગુરુ, ને કુધર્મને સુદેવ, સુગુરુ, સુધર્મ તરીકે માનવાથી સુદેવાદિને માનનાર જેટલું ફળ મળતું નથી. આ ઉપરથી મહાપુરુષોનું પૂજન-પ્રભાવના-નમસ્કરણ-બહુમાન એ સર્વ ફલદાયી કયારે છે ? બીજના હિસાબે અંકુરાને વૃક્ષનું મૂળ કારણ કહેવાય છે, છતાં પૃથ્વી, પાણી એ કંઈ ઓછો ભાગ ભજવતાં નથી. પરિણામે કાર્ય કરનાર તો મહાત્મા છે, પણ દેવ, ગુરુને અંગે ઉચ્ચ પરિણામ, પૃથ્વી પાણી તરીકે એ ભરપટ્ટે પોષણ કરનાર કે દેનાર હોય તો તેમના ગુણોનું જ્ઞાન થાય છે. તેમનું વર્તન જાણીએ તો ગુણોનું જ્ઞાન થાય છે. એટલા માટે મહાપુરુષોનું વર્તન જાણવું, કહેવું (જાહેર) મનન કરવું તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે, અને તેથીજ વ્યાકરણ-ન્યાયશિસ્ત્ર-દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ આદિની વાતો દૂર રાખી કલિકાલ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે આ ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર એ જ હિસાબે કર્યું કે મહાપુરુષોનું કીર્તન એ મોક્ષ ને કલ્યાણનું ધામ છે. એમાં ભગવાન ઋષભદેવજીનો પહેલો ભવ જણાવે છે. ૨ : "
(અપૂર્ણ) સર્વમંગલમાલ્ય, સર્વકલ્યાણકારણે Tી પ્રધાનં સર્વધર્માણાં, છને જયતિ શાસન |