SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ તા.૨૬-૦-૩૪ શ્રી સિદ્ધચક હોય તો કાંટાકાંકરાથી બચો અર્થાતુ અજવાળું કાંટાદિથી બચાવે છે પણ કાંટાકાકરા વાગે તેમાં અજવાળું કારણ નથી. આવી જ રીતિએ અજવાળું કાંટાકાંકરા બનાવતું નથી પણ બતાવે છે. તેમજ જિનેશ્વર મહારાજા પણ ધર્માધર્મ બનાવતા નથી, પણ બતાવે છે. ધર્મઅધર્મ એ શાશ્વતી ચીજો છે, એવું નથી કે જિનેશ્વરોએ ધર્મ કહ્યો પછી જ હિંસા કરનારને પાપ થાય, અહિંસા કરનારને ધર્મ-પુણ્ય થાય. જેમ દુનિયામાં કાયદો થાય ને પછી ગુન્હો હોય. પહેલાં ન હોય. પહેલાં પણ અહિંસા પાળતા, સત્ય બોલતા, અચૌર હતા, રંડીબાજી ન કરતા, દયા પાળતા તેઓને તો ધર્મ થતો જ હતો ને જુઠું બોલનાર, હિંસાદિ કરનારને પાપ બંધાતું હતું. હીરાપણું ને પત્થરપણું પહેલેથી હતું, દીવાએ તો માત્ર બતાવ્યું કે હીરાપણું ને પત્થરપણું છે. તેવી રીતે આશ્રવનું આશ્રવપણું બતાવ્યું, બંધનું બંધત્વ, સંવરનું સંવરત્વ, મોક્ષનું મોક્ષપણું, પાપનું પાપપણું બતાવ્યું. જેમ કાંટો ન વાગે એમાં અજવાળું તેને બતાવી દે છે કે જેથી મનુષ્ય સાવચેતીથી ચાલે, તેમ જિનેશ્વરો ધર્મ-અધર્મ-બતાવી ફળ બતાવે, અધર્મથી થતાં નુકશાન જણાવે છે ને ધર્મથી થતા ફાયદા જણાવી દે છે. રેતીમાં ખોવાયેલ હીરો, અંધારામાં હીરો અને કાંકરો એ બન્ને સરખા, દીવો લાવ્યા બતાવી દીધું કે આ હીરો-દીવાએ હીરાને બતાવ્યો તેવા જ રીતે ધર્મ, નિર્જરા, સંવર, મોક્ષને મોક્ષના રસ્તાઓ ઓળખીયે તે આ ત્રણ જગતના નાથના ઉપદેશને લીધેજ. અર્થાતુ પર્વતપાણી બનાવ્યાં એટલે માનીએ એમ નથી. જૈનમતની સ્થિતિ. જૈનમત એવી સ્થિતિનો છે કે પરમેશ્વરની મહત્તા કયારે માને? આત્મકલ્યાણ દેખાડનાર, તેનાં કારણો મેળવી આપનાર, બંધનાં કારણો ઓળખાવી તેના દૂર કરવાનાં કારણો મેલવાવનાર તરીકે જ માને છે. કલ્યાણની દૃષ્ટિએ જિનેશ્વર ભગવાનને જેનો યથાસ્થિત જ માને છે. આ બધી વાતથી વિચારી શકશો કે-મિથ્યાત્વીઓને પણ ગુણી માનવામાં ખામી છે, ગુણ માનવામાં ખામી નથી, તેથી ગુણ માનીને અવગુણ ઢાંકવા લીલાના પડદા કરવા પડે છે. ગુણવાદ માને છે ને ગુણી નહિ માનવામાં દેવને લીલાના પડદા, ગુરુને બાલકપણું ને ધર્મને રસ્તા માયા હૈ એમ માનવું પડે છે. આથી જ આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજે “ઃ પૂઃ સર્વવાનાં ” એ કહ્યું છે. ગુણો સર્વમતવાળાને કબુલ છે. ગુણ બધાને કબુલ છે, પણ ગુણી કોણ એ કબુલ નથી. કયા દેવ-ગુરુ-ધર્મ માનવા એમાં વાંધો છે, પરંતુ દેવ-ગુરુ-ધર્મના ગુણ માનવામાં વાંધો નથી. ગુણી માનવામાં ગોટાળો છે, ગુણ માનવામાં ગોટાળો નથી. આ હિસાબે આપણે કહી શકીએ કે “પરિણામ સુંદર છે”
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy