SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ શ્રી સિદ્ધચક્ર તા.૨૬-૦-૩૪ અમોઘાના આગમોઘાર (દેશનાકાર) નધ્યમાં નાયરી / 19 RS FRRING ૪૮૮૪૮દક. धर्मोमंगलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે - મહાત્માઓનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે. “દત્યનાં કીર્તનં દિ, યોનિઃશ્રેયસીરમ્” મહાપુરુષોનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે, અર્થાત્ મહાપુરુષોની ભક્તિ, બહુમાન, સત્કાર, નમસ્કાર એ મોક્ષ ને કલ્યાણનું ધામ છે પણ તે બધું કયા હિસાબે ? જો કે બીજના પ્રમાણ ઉપર વૃક્ષની ઉત્પત્તિ, વૃક્ષની ઉન્નતિ, વૃક્ષની પહોળાઇ, મજબુતાઈ આધાર રાખે છે છતાં પણ પૃથ્વી, પાણી અને હવા એ કારણ ઉપેક્ષણીય તો નથી જ; તેવી જ રીતે પુરુષની ભક્તિ, બહુમાન, સત્કારાદિ કરનાર જીવ પોતે કલ્યાણ અને પરમપદને પામે છે, પણ તેની અંદર સુંદરતા એ કંઈ જેવી તેવી ચીજ નથી. કઈ સુંદરતા? પરિણામની સુંદરતા હો ! એ પરિણામની અધિકતા ઉપર આધાર રાખે છે. દરેક મતવાળાઓ પોતાના દેવ, ગુરુ, ધર્મને અંગે પરિણામની સુંદરતા રાખનારા છે. તમે જેમ નિષ્કલંકીને દેવ, ત્યાગીને ગુરુ ને શુદ્ધ દયામય હોય તેને ધર્મ માનો છો તેટલા જ પ્રમાણમાં બબ્બે તેથી વધારે પણ ઇતર લોકો-અન્ય મતવાળા પણ સુંદર પરિણામથી માને છે. “ક્રિયાએ કર્મ છે ને પરિણામે બંધ છે” તે વિચારો. તમે ન કહી નહિ શકો, કારણ કે તમે ડગલે પગલે કહો છો કે - ક્રિયા એ કર્મ છે અને બંધનો હિસાબ પરિણામ ઉપર છે, પરંતુ સમજો કે આ અપેક્ષાએ છે કે એકાંતે છે ? અપેક્ષા સમજ્યા સિવાય આ વાત રજુ કરવામાં આવે તો ખરેખર જાલુમ થઈ જાય. કેમ? કુદેવ,
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy