SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૯ તા.૨૬-૭-૩૪ { . ** *, * * શ્રી સિદ્ધચક્ર જ્ઞાતપુત્ર નામથી બૌદ્ધોને ઓળખાવવાની જરૂર પડી હોય તો તેમાં આશ્ચર્ય નથી, પણ દિગબર ગ્રંથકારો શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં આવવું અને ત્યાંથી જ્ઞાતકુળમાં સિદ્ધાર્થરાજાની ક્ષત્રિયાણી ત્રિશલાની કૂખમાં મૂકવું એ વિગેરે ન માનતા હોવાથી તે દિગંબરોને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતપુત્ર તરીકે ઓળખાવવા અનિષ્ઠ થઈ પડે તેમાં આશ્ચર્ય નથી, પણ મધ્યસ્થ દૃષ્ટિથી જોનારો મનુષ્ય શ્વેતાંબર શાસ્ત્રોની માફક જ ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતપુત્ર એવું નામ બૌદ્ધશાસ્ત્રોમાં દેખીને તથા તેની પૂર્વે કહેલી હકીકત સમજીને સ્પષ્ટ જાણી શકશે કે શ્વેતાંબર શાસ્ત્રોજ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની સત્ય હકીકત રજુ કરનારા છે, અને એ વાત પક્ષપાત છોડીને મધ્યસ્થપણે વિચાર કરનારા દિગંબરોને પણ કબુલ કરવામાં અડચણ આવશે નહિ; કારણ કે સર્વ દિગંબર લોકો આ વાત કબુલ કરે છે કે ભગવાન મહાવીર, મહારાજાના ઉપદેશને આધારે ગૌતમસ્વામી આદિ ગણધરોએ રચેલી દ્વાદશાંગીમાંથી કે તે અંગોને આધારે શ્રુતસ્થવિરોએ રચેલા ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક જેવા સામાન્ય રીતે છબાર મહિનામાં ભણી શકાય તેવા સૂત્રોનો પણ સર્વથા વિચ્છેદ માનેલો છે. દિગંબરોના મત પ્રમાણે દ્વાદશાંગી કે ઉત્તરાધ્યયન, દશવૈકાલિક સરખા નાના સૂત્રનો એક અંશ પણ હજારો વર્ષોથી વિચ્છેદ-થઈ ગયેલો છે અને વર્તમાનમાં દિગંબરલોકો જે જે શાસ્ત્રોને માને છે તે કેવળ સૂત્રની વાણી વગરનો આચાર્યોનો જ કરેલો શાસ્ત્રપ્રવાહ છે, અને તેથી તે લોકોને નહિ ગમતી અગર' વગર જરૂરી લાગતી ની કુળમાં આગમન, ગર્ભાપહાર, જ્ઞાતકુળમાં સંહરણ એ વિંગેરે વાતો યથાસ્થિત છતાં પણ કાઢી નાખી હોયે તે સ્વાભાવિક જ છે, અને તેથી તે દિગંબરોના કલ્પિત શાસ્ત્રોમાં જ્ઞાતપુત્ર આદિ નામની ગંધ પણ ન હોય, પણ શ્વેતાંબર શાસ્ત્રો કે જે ખુદ ગણધર મહારાજના કરેલા શાસ્ત્રોનું જ આબેહુબ સ્વરૂપ છે, અને તેમાં તે નીચકુળ આગમનાદિક નહિ ગમતી વાતો પણ સત્ય સ્વરૂપના વર્ણનની ખાતરે પણ કહેલી છે. તે દેખીને કોઇપણ દિગંબર કે જૈનેતર મનુષ્ય શ્વેતાંબરશાસ્ત્રોને અને તેમાં કહેલી જ્ઞાતપુત્રાદિ નામોને લગતી હકીકત સત્ય માન્યા સિવાય રહેશે જ નહિ.. આરાધ્ય વીર કયા? આ બધી હકીકત માત્ર પ્રાસંગિક રીતિએ જણાવી છે. ચાલુ હકીકત તો આવા શ્રમણ ભગવાનુ મહાવીર મહારાજના અધિકારમાં ઇતર વીર (સુભટોને) જે દ્રવ્યવીર તરીકે જણાવ્યા છે તે આરાધ્ધપક્ષને અંગે કોઇપણ જાતે ઉપયોગી ન હોઈ માત્ર વ્યવહારથી જ તેઓ વીર કહેવાતા હોઈ વ્યતિરિકત નિપામાં અપ્રધાન તરીકે જણાવેલા છે, અને તેથી તેવા વીરોની અપ્રધાનતા હોવાથી આરાધ્યતા હોતી નથી, પણ જેઓ અપ્રધાન વીર ન હોઈ જ્ઞશરીર, ભવ્ય શરીર વીરોની માફક -તિરિકત દ્રવ્યવીરો હોય તે આરાધવા લાયક છે, પણ તેવા વીરોને ઓળખવા માટે તેમજ બીજા પણ વ્યતિ આરાધ્યનિક્ષેપો ઓળખવા વિચારને અવકાશ છે, માટે તેનો વિચાર કરીએ * * .
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy