SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩-૧૦-૩૩ શ્રી સિદ્ધચક્ર અમૌવદેશના આગમોળારે દેશનાકાર) 'ભW4c/ 'ભાવ' તિસૂત્ર નિયર દૂd, આસોદાણs." મનુષ્ય ભવની મહત્તા. જૈનત્વની ગળથુથી એટલે શું? તમે તમારા બાળકોને ધાર્મિકશન આપવા માટે શું કરો છો? તમારું બાળક ધર્મના સંસ્કારોથી ભરેલું કયારે થાય? જીવ, ભવપરંપરા અને કર્મસંયોગ અનાદિના છે. અજૈનોના પોતાના બાળકોને સંસ્કાર નાંખવાના યત્નો. પશુ ઉત્તમ કે મનુષ્ય? હિરો પણ જો તેજ વિનાનો હોય તો તે નકામો છે. સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદ. શાસ્ત્રકારો અવિચારી અને વિચારી આત્મા કોને કહે છે? માનવભવની મહત્તા કેવી રીતે સમજશો ? જગતને અંગે વિચાર કરતા મટીને આત્માને અંગે વિચાર કરનારાઓ થાઓ-એનું નામ માનવભવની મહત્તા. (શાસન પ્રભાવક, સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધાસ્ત્રાવી, આગમાભ્યાસી, સાહિત્ય સંશોધક, ગુર્જર ભાષા ભૂષણ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરિશ્વરજી મહારાજાશ્રીએ આ વ્યાખ્યાન આપ્યું હતું. પ્રસ્તુત વ્યાખ્યાન શ્રોતાઓને અત્યંત મનોવેધક, સત્યતત્વ પ્રતિપાદક, શાસ્ત્રિયતા પરિપૂર્ણ અને આત્મ-શક્તિ સંવર્ધક લાગ્યું હોવાથી તે વ્યાખ્યાન વાંચકોને માટે અત્રે આપવામાં આવે છે.) તંત્રી. શ્રી સિદ્ધચક. જૈન બાળકને ધાર્મિક સંસ્કાર : શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન ન્યાયાચાર્ય યશો વિજ્યજી મહારાજ જ્ઞાનસાર નામના ગ્રંથમાં જણાવે છે કે આત્મા અનાદિ કાળથી કર્મને આધીન રહી ભવપરંપરા કર્યા કરે છે. એ માટે ગઈકાલે જણાવ્યું છે કે જે, પોતાને જેને બનાવવાને તૈયાર થાય તેણે, ગઈ કાલે જણાવેલી ત્રીપદી હૃદયમાં ધારણ કરવી જોઈએ. આજે તો દરેકને જૈન કહેવડાવવું છે, પણ એની જે ગળથુથી છે તે કોઇને પીવી નથી, અથવા પોતાના સંતાનોને પાવી
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy