SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૧-૦-૩૪ શ્રી સિદ્ધચક્ર ૪3o મધદેશના ગમો વારિક (દેશનાકાર ભજવત/૨ ભગવતી Riel નિરમા દવે | HTTTTTTT અસોદાણક. સંસાર અનાદિ છતાં અંતવાળા શાસ્ત્રકાર મહારાજ. ભગવાન હરિભદ્રસૂરિજી ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા શ્રીઅષ્ટક પ્રકરણમાં જણાવી ગયા કે-આ જીવ સંસારમાં અનાદિકાળથી રખડી રહ્યો છે, અને એ અનાદિ રખડપટ્ટી એ જીવ ઉપર એટલો બધો પ્રભાવ પાડી દીધો છે કે જેથી જીવ પોતાના અસલ શુદ્ધ ચિદાનંદરૂપ સ્વરૂપને ભૂલી ગયો ને મેળવી નથી શકતો અને જ્યાં સુધી એ રખડપટ્ટી હૈયાત રહેશે ત્યાં સુધી આત્મસ્વરૂપ પ્રગટ થતા પણ અટકવાનું. એટલે જો આપણને આપણું આત્મસ્વરૂપ મેળવવું-પ્રગટ કરવું હોય તો એ અનાદિની રખડપટ્ટીનો નાશ કરવો જ રહ્યો. જ્યારે એ રખડપટ્ટી હટી કે તરત આત્મસ્વરૂપનો અવરોધ દૂર થવાનો અને પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવાનું છે, કારણ કે “ર દો વાંસ વને વંશીજયાં વાંસ જ નહિ તો વાંસળી વાગશે જ કેવી રીતે? કારણ જ નહિ હોય તો કાર્ય બનવાનું જ શી રીતે ? પણ આ વિચાર કરતાં પહેલાં આપણે એ વિચારવું જોઇએ કે અનાદિકાળથી ચાલી આવતી એવી રખડપટ્ટીનો નાશ થઈ શકે છે કે નહિ ? જો એનો નાશ જ ન થઇ શકતો હોય તો પછી નાશનો વિચાર કરવો પણ નિરર્થક જ ગણાય, અને જો થઈ શકતો હોય તો એના નાશના ઉપાયોનો વિચાર કરી શકીએ. સંસારમાં જેટલા પદાર્થો અનાદિ ગણવામાં આવે છે એના બે ભેદ પાડવામાં આવ્યા છે (૧) અનાદિ હોવા છતાં જેનો અંત આવી શકે છે તે અને (૨) જે અનાદિ હોવા સાથે નાશ ન પામવાથી અનાદિ અને અનંત હોય છે તે. આપણા પોતાના જીવની અપેક્ષાએ આપણે વિચાર કરીએ તો આપણને જરૂર લાગે છે કે આપણા જીવ સાથે એવાં કેટલાંક
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy