________________
૪૩૫
તા. ૧૧-૭-૩૪
શ્રી સિદ્ધચક્ર નથી. જો દ્રવ્યક્રિયા માત્ર જીવોને દૂષિત કરનારી હોત તો ગુણઠાણાની પરિણતિ વગરના અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાદૃષ્ટિ જીવોને તે તે દેશવિરતિ, સર્વવિરતિ વિગેરેની ક્રિયાઓ કરવાથી ખોટો આડંબર ગણી દેવલોક વિગેરેની પ્રાપ્તિ સૂત્રકારો કહેત નહિ, પણ જેમ જેમ વધારે દ્રવ્યક્રિયા કરે તેમ તેમ વધારે ધૂર્તતાવાળો ગણાઈ અધિક દુર્ગતિએ જવાવાળો કહેવો જોઇએ, પણ તેમ નહિ થતા અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિને પણ જેમ જેમ દ્રવ્યક્રિયાની વૃદ્ધિ હોય છે તેમ તેમ પુણ્યની વૃદ્ધિમાની ઉંચા ઉંચા દેવલોકની પ્રાપ્તિ માનવામાં આવે છે. સમગ્રના નાશ પ્રસંગે અર્ધના રક્ષણનો પ્રયત્ન કરવો.
આ ઉપરથી એટલી વાત તો ચોકસ માનવી પડશે કે અન્ય ઉદ્દેશે, અનુદેશે કે વિરૂદ્ધ ઉદ્દેશ, કરાતી ધર્મક્રિયા કર્મના લઘુપણાને અંગે હોવા સાથે ભવિષ્યમાં પુણ્યની પ્રબળતાને કરાવનારી છે, અને તેથી વ્યતિરિકત તરીકે ગણાતી આવી ધર્મક્રિયા સુધાર વાલાયક હોય છતાં છોડવા લાયક તો નથી જ, અને આ જ કારણથી આ લોકના અપાયથી ડરીને કે સંપત્તિની પ્રાપ્તિ માટે કરાતી પાપની વિરતિ રોકવામાં આવતી નથી. તથા શાસ્ત્રોમાં પણ દેવલોકાદિકની પ્રાપ્તિ માટે થતા વ્રતનિયમો પણ કરાવવામાં આવ્યા છે, એટલું જ નહિ પણ તે પૌલિક પદાર્થોના નામે પ્રેરણા કરીને પણ વ્રતનિયમો કરાવવામાં આવ્યા છે. આ સ્થાને જગતનું દૃષ્ટાંત ધ્યાનમાં રાખવાનું છે કે સમગ્ર ત્યાગનો પ્રસંગ આવે ત્યારે અર્ધનું પણ રક્ષણ કરવું તે સમજણવાળાનું જ કામ છે, તેવી રીતે દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારે ધર્મની પ્રાપ્તિ ઈષ્ટ હોઈ પ્રવૃત્તિ અને પરિણતિ બંનેની શુદ્ધતા મેળવવા લાયક છતાં પણ બંનેની શુદ્ધતા ન મળી શકે તે સ્થાને પરિણતિની શુદ્ધિવાળી દશા વર્તમાનમાં આવતી નથી અને ભવિષ્ય માં તે લાવવાની જરૂર દેખી તેના કારણ તરીકે પ્રવૃત્તિની શુદ્ધિ પણ એકલી બને તો તે અત્યંત કર્તવ્ય તરીકે જ ગણાય, પરંતુ કોઇપણ પ્રકારે અકર્તવ્ય તરીકે તો તેને ગણી શકીએ જ નહિ. આ બધી હકીકત વિચારતાં ભવિષ્યમાં ધર્મપરિણતિ થવાની હોય ત્યાં કદાચ ભવ્યને અંગે થતા નિક્ષેપાને ગોઠવીએ તો પણ જ્યાં ભવિષ્યની પરિણતિ થવાની ન હોય ત્યાં વ્યતિરિકત નિક્ષેપાને ગોઠવ્યા સિવાય છૂટકો જ નથી. વ્યતિરિકત નિક્ષેપો આરાધ્ય ખરો કે? આરાધ્ય હોય તો તેનું કારણ.
નંદીસૂત્રને અંગે નંદીના નિક્ષેપા વિચારતાં નામનંદી અને સ્થાપનાનંદીનું સ્વરૂપ વિચારી દ્રવ્યનંદીને અંગે સામાન્ય દ્રવ્યનિપાનું સ્વરૂપ જણાવતાં તેનો પહેલો આગમભેદ જણાવી નોઆગમ ભેદમાં જ્ઞશરીર ભવ્ય શરીરનામના દ્રવ્યનિક્ષેપા જણાવવા સાથે વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપો આગળ જણાવી ગયા, પણ જેમ જ્ઞશરીર અને ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાની આરાધ્યતા જણાવવામાં આવી અને તેનાં કારણો પણ શાસનની પ્રવૃત્તિ સાથે જણાવવામાં આવ્યાં, તેવી રીતે વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપાની આરાધ્યતા વિગેરે જણાવવાની આવશ્યકતા હોય તે સ્વાભાવિક જ છે. વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપો જણાવતાં આગળ જણાવવામાં આવ્યું છે કે વ્યતિરિકત નિપામાં બે પ્રકારના પદાર્થો લેવામાં આવે છે, કેટલાક પદાર્થો અપ્રધાન હોઈને સાધ્યસિદ્ધિને અંગે એટલે ભાવનિક્ષેપાની