________________
*
*
૪
શ્રી
(પાક્ષિક)
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ | નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાન્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्ह दृष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૧૧-૭-૩૪ બુધવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૯ મો. 7 જેઠ વદિ અમાસ 1 વિક્રમ , ૧૯૯૦
૦ આગમ-રહય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ ' અન્ય ઉદ્દેશ કે ઉદ્દેશ શૂન્યપણે થતી દ્રવ્યક્રિયાઓ પણ ઉત્તમક્રિયાનું બીજ છે.
જો કે નયમતની વિચિત્રતાને લીધે કોઇપણ પ્રકારનું માગનુસારી કે શાસ્ત્રોકત અનુષ્ઠાન ભાવઅનુષ્ઠાનનું કારણ બને જ છે. કદાચ કાળનું આંતરૂં દ્રવ્ય અને ભાવધર્મ વચ્ચે ઘણું લાંબુ હોય કે ટૂંકું પણ હોય, પરંતુ એક વખત પણ જેને દ્રવ્યઅનુદ્ધનની પ્રાપ્તિ થઈ છે તેને થોડે કે ઘણે કાળે જરૂર ભાવધર્મ મળવાનો જ છે,