SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૦-૬-૩૪ શ્રી સિદ્ધચક ૪૩૨ ૧૩ (૧) આનપ્રાણ અચેતન છે. (૨) આહાર માટે હનન, વચન કયણ આદિ પણ અકર્તવ્ય છે. (૩) પોતાના જીવન કુટુંબ, સુખ પ્રાપ્તિ કે રોગ નિવારણ માટે કરાતી સ્થાવરની હિંસા પણ નિધ જ છે. (૪) કોઈના બચાવને નામે કોઇની હિંસા થાય તે વિધેય નથી (૫) હિંસા કરવી એ પણ મોટો અત્યાચાર જ છે (૬) ભરવામાં કલ્યાણ નથી પણ કલ્યાણ કામનાવાળો મરણથી નિર્ભય રહે. (૭) અકામ મરણ પણ દુર્ગાન જ છે (૮) સ્વપ્નામાં પણ થતી હિંસા પ્રાયશ્ચિત શોધ્ધ જ છે (૯) અનન્તગુણી આદિ ચૈત્યન્ય માત્રા કલ્પવા કરતાં શાસ્ત્રોમાં જ્ઞાતિયોના જે કથન છે તે જ યોગ્ય છે, અને અન્યની રક્ષા માટે અન્યની ચેતનાનો ઘાત કર્તવ્ય તરીકે કે શ્રેયઃ તો મનાય જ નહિ પાપમાં ન્યૂનાધિકપણું જરૂર હોય (૧૦) અજાણપણે આવી ગયેલી હરસની દવાથી થતી વિરાધના નિધ જ થઈ છે. (૧૧) અવિરત, અજ્ઞાન ને મિથ્યાત્વ પણ પ્રમાદ છે. (૧૨) જાણીને કે અજ્ઞાનથી થતી હિંસા પણ કટુ ફલ દેવાવાળી છે માટે જયણા કરવી. (૧૩) અનિવાર્ય આદિ નામ દઈને હિંસામાર્ગ બોલનારા જૈન નામને નહિ શોભાવે. ૧૪ કૃષિ આદિક કર્મ મહા કર્માદાન છે. મુનિઓને વચન આદિનો નિષેધ પરિગ્રહ કરતાં આરંભ આદિની અપેક્ષાએ વધારે છે. દીક્ષા દેવાથી જેમ અબ્રહ્મની અનુમોદના નથી તેમ આહાર લેવાથી કૃષિ કે રસોઇની અનુમોદના નથી. (ઔરસ કે પૌનર્ભવની દીક્ષામાં કોઈ જાતનો ફરક નથી) ૧૫ સ્વ, પર ઉભયને અર્થે કે નિરર્થકપણે મુનિઓએ જીવ હિંસા વર્જવાની છે (માંસમાં) કાચામાં રંધાતામાં કે રાંધેલાના સર્વ અવસ્થામાં જીવ છે એ ધ્યાનમાં રાખવું. ૧૬ પશુ બલ, કે ચૈતન્ય બલને નામે કે અણભરોસાને નામે હિંસાથી ડરવું એ ધર્મકાર્ય નથી. એ તો સગવડનો રસ્તો છે. ૧૭ ધર્મના બોધ અને પાલનની અપેક્ષાએ ઋા જડ, ઋજાપ્રાજ્ઞ, વક્રજડ એ વિભાગો કરવામાં આવેલા છે. ૧૮ ભગવાન ગૌતમ સ્વામીજી જયેષ્ઠ કુલની અપેક્ષાએ જ કેશિકુમારની પાસે ગયા છે. ૧૯ બૌદ્ધ મતનું નિર્ગમન પાર્શ્વનાથજી મહારાજના સંતાનીયાથી થયેલું હોવાથી બૌદ્ધગ્રંથોમાં જૈનને માટે ચતુર્યામ લખવામાં આવે તે સ્વાભાવિક છે પણ જૈન શ્વેતામ્બર ગ્રંથોમાં મહાવીર મહારાજને જે જ્ઞાતપુત્ર (જ્ઞાતનંદન) નામ રાખેલું છે. તેમનું શાસન તે વખતે હોવાથી ચાર યામવાળા જ્ઞાતપુત્ર જણાવ્યા છે. આવી રીતે બીજા પણ નિર્દેશો અસ્તવ્યસ્ત તરીકે બૌદ્ધોમાં ઘણા નજરે પડે છે. ૨૦ જૈન જગતમાં આવેલી પુરાણોની કદાગ્રહ દશા શેઠ હુકમીચંદજીની અસ્તવ્યસ્ત માન્યતા અને દિગંબરી મુનીંદ્ર મંડળીની હકીકત સાચી હોય તો ખરેખર તેઓને વિચારવા જેવું છે. (જૈન જગત) (નોંધઃ- વધુ સમાલોચના માટે જુઓ ટાઈટલ પાનું ચોથું)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy