________________
૪૩૧
તા.૨૦-૬-૩૪
૯
શ્રી સિદ્ધચક ૬૦ કોઈપણ કાલે કોઈપણ વ્યક્તિ કે સમુદાય સર્વજ્ઞ ભગવાને નિરૂપણ કરેલ શાસ્ત્રને માન્યા
કે આદર્યા સિવાય આત્મહિતને સાધી શકતો નથી એ વાત નિર્વિવાદ છે. ૬૧ કોઈપણ વસ્તુ સુરક્ષિત કરવી હોય તો હાલમાં અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે એમ ધરાય છે.
** ** * ** * * ૧ સુક્ષ્મ એકેન્દ્રિયાદિક જીવો હિંસા નથી કરતા ને અભવ્યજીવો વ્યવહારથી પરમ અહિંસા
પાળનાર હોય છે, છતાં પણ તેઓ ધર્મોની કોટિમાં આવતા નથી માટે તત્વોની
શ્રદ્ધાપૂર્વક નિઃશ્રેયસ સાધક અહિંસાને ધર્મસંજ્ઞા અપાય એ જ ઠીક છે. ૨ મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા સર્વ જીવોને હોવાથી તેમજ સુક્ષ્મ એકેન્દ્રિય જીવો કોઇના
હિંસક ન હોવાથી હિંસાની જ વ્યાપકતા છે એમ કહેતાં વિચાર કરવો. ૩ કષ્ટનું કરવું અને કષ્ટથી બચાવવું એ જેટલું અધર્મ અને ધર્મની સાથે સંબંધવાળું છે તેના
કરતાં અવિરતિ ને વિરતિ સાથે સંબંધવાળાં વધારે છે. ૪ કષ્ટ અને આનંદના થવા ઉપર હિંસા અને અહિંસા સાથેનો સિદ્ધાંત કરવા કરતાં
રક્ષણની બુદ્ધિનો અભાવ અને સદ્ભાવ ઉપર રાખવો ઉચિત છે. અહિંસા બહુરૂપિણી છે એમ કહી પંચેન્દ્રિય જીવોની હિંસા કરનારને પણ હિંસક નહિ કહેવો એમ સૂચવનારા સ્પષ્ટ રીતે હત્યારાના પક્ષપાતી કેમ ન ગણાય ? પ્રજ્ઞાપનીય
ભાષા પણ વિચારણીય છે. ૬ ચાલતાં, ઉભા રહેતાં, બેસતાં, સુતાં, ખાતાં કે બોલતાં જયણા બુદ્ધિજ પાપકર્મથી
બચાવે છે. તે ન હોય તો કટુ ફલવાળાં પાપો બંધાય જ છે. ૭ સદગતિ થવાના નામે યજ્ઞમાં પશુઓને મારનાર તથા દુઃખથી છોડાવવાના નામે
દુઃખીઓને મારનારના પરિણામ ભયંકરમાં ભયંકર છે. પાપનો ઉદય માનીને હિંસા કરનાર કસાઇઓ કરતાં પણ તેવી ઉન્નતિના નામે હિંસા કરનારા લૌકિક અને લોકોત્તર
બન્ને માર્ગમાં ભયંકર જ છે. ૮ જે અસમારંભથી સંયમ અને સમારંભથી અસંયમ છે તે મરનારની શક્તિ રક્ષણ ને
નાશને અનુસારે છે. ૯ પાપ કરનારો જેમ અનુકંપ્ય છે તેમ કોઈ પણ જાતના દુઃખવાળો અનુકંપ્ય જ છે ને
તેથી જ અપરાધી દૂર કર્મીયોની ઉપર પણ કરૂણા અને ઉપેક્ષા રાખવી જરૂરી છે. ૧૦ મધ્યસ્થ દૃષ્ટિ નિર્વાહને નામે કરાતી હિંસાને અહિંસા માને નહિ. રક્ષાનો પ્રયત્ન
અહિંસાની જડ છે. ૧૧ શરીરની સુશ્રુષા નિવારવા કે નિર્જરાના ઉદ્દેશથી ચિકિત્સાની અકર્તવ્યતા નિરપેક્ષ
મુનિઓ માટે છે. ૧૨ હિંસકો અથવા અપરાધીઓની પણ હિંસા કર્તવ્ય તરીકે તો નથી જ, અનિવાર્ય હિંસા
જુદી વાત છે.