________________
૪૧૪
તા. ૨૦-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર વસ્તુ મહા ભયંકર છે. આવો મહા ભય નિરંતર પોતાની સામે હોવા છતાં “મારે શું” એવો વિચાર કરીને જે મનુષ્ય બેફીકરપણે વર્તે છે એ તો ખરી રીતે એ મહા ભયને, પોતાના ભવિષ્યના હિતની અપેક્ષાએ, વધુ ભયંકર બનાવે છે અને પરિણામે સ્વાધીનતાની ખોટી ધૂનમાં પોતાના આત્માને વધુ ને વધુ પરાધીનતાના પાશમાં પાડે છે ! સાચી સ્વાધીનતા તો અનુચિત બેફીકરીમાં નથી પરંતુ ઉચિત જવાબદારી સમજવામાં છે. તત્ત્વદૃષ્ટિ.
રોગી માણસ જેમ હંમેશાં પોતાના ભાવિના હિતનું ભાન ભૂલીને કુપથ્યનું સેવન કરવામાં જ આનંદ માણે છે, એ જ પ્રમાણે કર્મરૂપી રોગથી ઘેરાયેલો આપણો આત્મા પણ પોતાની આત્મમુક્તિને ભૂલી જઈને કુપથ્ય સેવન કરવામાં જ રત રહે છે. એ કુપથ્થો કયા? આહારાદિ પાંચ એ આત્મા માટે મહાન કુપથ્થરૂપ છે. એ કુપથ્યનું જેટલું વધારે સેવન થાય એટલા અંશે કર્મરૂપી રોગ વધારે બળવાન થાય છે. આપણો આત્મા અનાદિ કાળથી એ કુપથ્યનું સેવન કરી રહ્યો છે, અને એમાં જ આનંદ માની રહ્યો છે. જ્યાં સુધી એને એ વાતનું બરાબર ભાન નહિ થાય અને એ અજ્ઞાની રહેશે ત્યાં સુધી એ સેવન કરતો જ રહેવાનો. માણસ જયારે ભર નિદ્રામાં હોય ત્યારે પોતાના ઓશીકે સાપ આવી બેઠો હોય તો પણ એ ડરતો નથી અને જાગ્યા પછી એ જીવલેણ સાપના બદલે વીંછી પણ જોવામાં આવે તો એ કંપી ઉઠે છે અને ત્યાંથી અળગો જઈ બેસે છે. જીવને જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં લગી એ ભયંકરતાને ઓળખી શક્યો નહતો, પરંતુ હવે જયારે જૈનશાસનના અમૃતતુલ્ય અંજનથી એની આંખ ઉઘડી ગઈ છે અને એનું અજ્ઞાન ઉડી જવાનો યોગ મળ્યો છે છતાં જો એને એ ભયંકરતાનું ભાન ન થાય તો પછી એ કયારે સમજવાનો. નદીએ જઈ આવવા છતાં જે તરસ્યો પાછો આવે એની તૃષા કયાં શાંત થવાની ? દિવસના સમયે સૂર્યનો પ્રકાશ હોવા છતાં જે ન દેખી શકે એ રાતે શું દેખવાનો? જ્યાં સુધી માણસ વિવેકદૃષ્ટિથી વિમુખ હોય છે ત્યાં સુધી એ સારાસારને ન સમજી શકે એ સ્વાભાવિક છે અને કંઈક અંશે એ સંતવ્ય પણ ગણાય, પરંતુ જે મનુષ્યને વિવેકદૃષ્ટિ મેળવવાની તમામ સામગ્રી શ્રી જૈનશાસનના સંસર્ગથી મળી હોય છતાં એ સારાસારને ન સમજે અને રાતદિવસ પોતાનું ચિત્ત, એ આહારાદિ પાંચ મહા કુપથ્થોના સેવન કરવામાં જ પરોવી રાખે તો એ કેમ સંતવ્ય ગણાય? અને આથી એને બીજો કયો વધારે સરસ યોગ મળશે કે જ્યારે એ પોતાના હિતને સમજી શકશે? પોતાના આત્માની શુદ્ધિ નિમિત્તે ધાર્મિક ક્રિયાઓ ન કરવા છતાં માણસ એ કબુલ કરવા તૈયાર નથી હોતો કે “મારાથી ક્રિયાઓ નથી થતી.” વળી કેટલાક આત્માઓ એવા