SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ શ્રી સિદ્ધચક તા. ૨૦-૬-૩૪ આમાંધદેશના આગમાં દ્વારકની (દેશનાકાર 'ભજવર ભગવતી ડિ િ8િ નિર/ દdડા, /આઇસધ્ધes. સાચી સ્વાધીનતા. શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે “જ્ઞાનસાર પ્રકરણ' કરતાં થકા કહી ગયા કે- આ જીવ સંસારમાં અનાદિ કાળથી રખડપટ્ટી કરે છે. જીવની આ અનાદિકાળની રખડપટ્ટી એ દરેક જીવને સ્વયંસિદ્ધ છે. એટલે એને સાબીત કરવાની જરૂર નથી, કારણકે દરેક જીવ શરીરને અને આયુષ્યને આધીન છે એ વાત પ્રત્યક્ષ માલુમ પડે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં કોઈ મનુષ્ય પોતાના આત્માને પરાધીન ન માનતાં સ્વતંત્ર માને તો તે ભૂલભરેલું છે. પોતાનો આત્મા પરાધીન હોવાના કારણે એના કેટલાય ગુણો અપ્રકાશમાન હોય છે અને તેથી પોતાના આત્માની સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એ અપ્રકાશમાન ગુણોને પ્રકાશમાં લાવવાના હોય છે. એ ગુણોને પ્રકાશમાં લાવવાને અનુકૂળ સમય પણ મળ્યો હોય છતાં એ ગુણોને પ્રકાશમાં ન લાવે અને પોતાના આત્માને સંપૂર્ણ કહે તો તે “તમાચો મારીને મોટું લાલ રાખવા” જેવું જ કર્યું ગણાય. શરીર ક્ષીણ થઈ ગયું હોય, લોહી સુકાઈ ગયું હોય, મોટું ફીકું પડી ગયું હોય છતાંય મોટું લાલ દેખાડવાની ઇચ્છા થાય તો તમાચો માર્યા સિવાય બીજો શો ઉપાય ? પણ એ તમાચો મારીને લાલ કરેલું મોટું કેટલો સમય લાલ રહેવાનું ? પરિણામે તો મોઢે પહેલાં કરતાં પણ વધારે ફીકું થવાનું ! ઠીક એ જ પ્રમાણે આત્મા પરાધીન હોવા છતાં સ્વતંત્ર માની લે તો આત્માને પણ વધારે સહન કરવું પડે છે. જે માણસ પોતે સંપૂર્ણ ન હોવા છતાં પોતાને સંપૂર્ણ માની લે તો એ કદીપણ પોતાને સંપૂર્ણ બનાવવા તરફ તો પ્રયત્ન નહિ જ કરવાનો અને ઉલટું એ સંપૂર્ણતાની ખોટી માન્યતાના આધારે પોતાની પાસે જે કંઈ સારું હોય તે પણ ગુમાવી બેસવાનો. પોતાનો આત્મા અનાદિ કાળથી આ સંસારમાં રખડ્યા કરે છે એ
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy