________________
(ટાઇટલ પા. ૪નું અનુસંધાન) ૬. (માવ. ૭રૂ૭ પત્ર) વિવો સંપ ર પઢિયં એ વાકયથી સ્પષ્ટપણે માત્ર અભ્યાસરૂપ
પાઠનો નિષેધ છતાં જેઓએ આવશ્યક ક્રિયાનો દૃષ્ટાન્તદ્વારા નિષેધ કર્યો હતો તેઓ સ્પષ્ટ
પોતાની ભૂલ સમજી શકે તેમ છે. ૭. બુદુગ્રહ નામની અસ્વાધ્યાયમાં તો ધીમે સ્વરે સ્વાધ્યાય કરવાનું પણ શાસ્ત્રકાર જણાવે છે
એટલે એમાં તો આવશ્યક ક્રિયાની અકરણીયતા કે અવશ્ય કારણે કર્તવ્યતા છે એવું કંઈ
રહેતું જ નથી. ૮. આખું પાનું ભર્યું છતાં ક્ષત્રિયં ચ પઢિM એટલે સંયમઘાતક સિવાયની ચાર અસ્વાધ્યાયમાં
ઉત્કાલિક સૂત્ર તો ભણાય છે એ વાકય ખોલ્યું જ નથી. આવશ્યકાદિ ક્રિયામાં બોલવારૂપે ભણવું એમ લેનારો મનુષ્ય આવશ્યકાદિની ક્રિયાની સાથે જે છૂટ આપી છે તેનો અને ત્ર શબ્દનો ભાવાર્થ સમજ્યો નથી તેમજ આવશ્યક એકલું ન કહેતાં ઉત્કાલિક કહ્યું તે
ઉત્કાલિક શબ્દ જ નકામો પડે છે તે પણ વિચાર્યું નથી. ૯. ચઉમાસી આદિની અસ્વાધ્યાય છતાં તેમાં ઉપદેશમાલાદિને ભણવાની છૂટ સમજનારે
આવશ્યક ક્રિયાની અવશ્ય કર્તવ્ય તરીકે જ શેષ ચાર અસ્વાધ્યાયમાં છૂટ છે એમ કહેતાં
વિચારવું જોઇએ. ૧૦. ઉત્કાલિકની છૂટ આપી, એ અવશ્ય કર્તવ્ય તરીકે જ છૂટ છે એમ કહેનારે કાલિક સૂત્ર
(કલ્પસૂત્ર)ની તો અવશ્ય કર્તવ્ય તરીકે પણ છૂટ નથી એમ માનવું પડશે. ૧૧. કાલ અશુદ્ધ હોય તો આવશ્યકાદિ કરે એ હકીકત ક્રિયાને ન લાગુ કરતાં અધ્યયનને લાગુ કરનારે પાઠ તપાસવો.
(વી. શા. વિ. પ્ર.)
: જાહેર ખબર ? શ્રી સિદ્ધચક્રના માનવંતા ગ્રાહકોને જણાવવાની રજા લઇએ છે કે આ વરસમાં અધિક માસ હોવાથી અને વરસમાં કુલ ૨૪ અંકો આપવાના હોવાથી બીજા વૈશાખ સુદ ૧૫નો અંક બંધ રાખ્યો હતો એ વાત અગાઉ જણાવવાની રહી ગઈ હોવાથી આ અંકમાં જણાવી છે તથા જેઓને નિયમિત અંકો ન મળતા હોય તેઓએ તથા પૂજ્ય મુનિવરોએ પોતાના સ્થાન નિયમિત થયા જણાવવાથી યોગ્ય સ્થળે અંક રવાના કરવામાં આવશે.
તંત્રી.