SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૬-૩૪ ૩૪ શ્રી સિદ્ધચક્ર ગણતું. એણે તો હમેશાં ગુણવાન પુરુષોની જ પૂજાનો આદેશ કર્યો છે. નમો અરિહંતાઈ જૈનોનું એ મહાન સૂત્ર આ વાતની સાક્ષીરૂપ છે. કદી પણ “નમો શ્રેષમ' કે “નમો મહાવીરસ' નથી લખ્યું, પરંતુ અરિહંત માત્રની ઉપાસનાનો આદેશ કર્યો. જ્યારે બીજા દર્શનોમાં તો ‘નો મહાદેવાય' વિગેરે વાક્યો લખીને વ્યક્તિપૂજાને મહત્વ આપ્યું છે. ગુણનિષ્પન્ન નામ કોઇપણ માણસને કોઇપણ કાળમાં લાગુ થઈ શકે છે જ્યારે વ્યક્તિવાચક નામ એક વ્યક્તિને જ અને અમુક સમયમાં જ લાગુ થઈ શકે છે. “નમો અરિહંતા” એ ગુણનિષ્પન્ન વ્યક્તિઓની પૂજાનો આદેશ કરતું એ પરમ પવિત્ર વાકય જૈનધર્મના અનાદિતત્વને બહુ સારી રીતે બતાવી શકે છે. અરિહંતના ગુણ ધારક વ્યક્તિ ગમે તે હોઈ શકે છે અને એ ગમે તે કાળમાં થઈ શકે છે. એના માટે કોઈ વ્યક્તિ વિશેષ કે કાળની મર્યાદા હોતી જ નથી અને એવી મર્યાદા જ્યાં ન હોય ત્યાં અનાદિ તત્ત્વ આપોઆપ આવી જાય છે. વિષ્ણવે નમ:' કે “મહાદેવાય નમઃ” જેવાં વાકયો કહ્યા પછી બધા કાળમાં વિષ્ણુ અને મહાદેવ કયાંથી લાવવા ? અરિહંત તો કોઈ વ્યક્તિ કે તીર્થંકર વિશેષનું નામ નથી એટલે એ તો ગમે ત્યારે મળી શકે. વ્યક્તિ અને જાતિના આધારે અનાદિ તત્વની વિચારણામાં તો અતિવાળાજ અનાદિ સિદ્ધ થાય. આ સ્થાને જરૂર કોઈક એ પ્રમાણે પૂછે કે-જૈનધર્મ અનાદિ કેમ? ત્યારે આ પ્રશ્ન કોર્ટના ફરીયાદી ને આરોપીના જેવો થઈ જાય છે, કોર્ટની લડાઈમાં પુરાવા રજુ કરવાનો બોજો ફરીયાદી માથે જરૂર રહે છે, પરંતુ કેટલાક એવા પુરાવાઓની જરૂર રહે છે કે જેનો બોજો આરોપી માથે જ હોય છે. હું અમુક સ્થાનમાં અમુક સમયે હાજર ન હતો એ વાત પુરવાર કરવા માટે એણે અનેક પ્રમાણો આપવા પડે છે. એ જ પ્રમાણે જેનધર્મ અનાદિ નથી એ પ્રમાણે કહેનારે સાબીત કરવું જોઇએ કે આ ચોવીશી પહેલાં કે અમુક સમય પહેલાં એટલે કે જ્યારથી તે જૈનધર્મની આદિ થયેલી માનતો હોય તે પહેલાં કોઈપણ વ્યક્તિ રાગદ્વેષથી રહિત થઈ નથી, અને સાથે સાથે અમુક સમયથી જ દેવોને પણ પૂજ્ય એવી વ્યક્તિ જન્મવા માંડી; અમુક કાળથી જ કર્મનો નાશ કરનાર પુરુષ પેદા થવા લાગ્યો; એ સમય પહેલાં કોઈએ પોતાનાં કર્મોનો નાશ કર્યો નથી; આ અને આવી અનેક બાબતો પહેલાં નક્કી કરવી પડે છે. જ્યારે બીજી તરફ આપણે એ પરધર્મી વ્યક્તિને વિષ્ણુની ઉત્પત્તિનો સમય પૂછીએ તો એણે જવાબ આપવો પડે છે કે અમુક કાળમાં અમુક દિવસે અમુક ક્ષણે વિષ્ણુ ભગવાનનો જન્મ થયો હતો અને એ સમય પહેલાં વિષ્ણુ હતા નહિ. નો રિહંતાપ નો ઉચ્ચાર કરતાં કોઈપણ વ્યક્તિ વિશેષની આદિ માનવી પડતી નથી, એટલે જૈનધર્મનું અનાદિપણું સ્વયંસિદ્ધ બની જાય છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy