SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઈટલ ૪નું અનુસંધાન). કારણરૂપ અને ત્યાગધર્મના પ્રાણભૂત પ્રવ્રયાને અંગીકાર કરે છે. ઉપરની વાત વાંચી વિચારીને સત્ય રસ્તે શ્રદ્ધા કરવાની જરૂર છે ને તે એ કે દુનિયાદારીના કોઈપણ દુઃખદ પ્રસંગને અંગે સંસારથી થતો વૈરાગ્ય અને પ્રવજ્યા પ્રત્યે થતો અનુરાગ એ આત્મકલ્યાણનો માર્ગ હોઇ શાનગર્ભિત વૈરાગ્યથી વિરોધી નથી પણ તેને પોષનાર જ છે. કેટલાક અજાણ અને સાચી શ્રદ્ધાથી દૂર રહેલા મનુષ્યો સંસારના તેવા દુઃખદ પ્રસંગના બહાને થયેલા સંસારવૈરાગ્ય અને પ્રવજ્યા અનુરાગને દુખગર્ભિત વૈરાગ્ય તરીકે ઓળખાવે પણ તે વાત વસ્તુતત્વ અને શાન સમજનારાઓએ અંશે પણ માનવા જેવી નથી. દુઃખગર્ભિત વૈરાગ્યના સ્થાનો તો વિધવા થયેલી સ્ત્રી જેમ શરીર વસા અને આભુષણના શણગારને ચાહનારી છતાં માત્ર ધણીના વિયોગથી તે શણગાર કરવાનું મન કરતી નથી, સાતિભોજનમાં જવાની અભિરુચિ છતાં પણ ધણીના મરણથી થયેલા ઉદ્વેગની ખાતર તે જાતિભોજનમાં જતી નથી. બાળ વિધવાની સાસુ અગર માતા પણ પુત્રી અગર વધૂની વિષમ દશાને અંગે સંસારી મોજશોખના સાધનોથી મન ખર્યું નથી તો પણ તે સાધનોથી દૂર રહે છે. યાત્ર તારના મરણને અંગે સતી થવાના નામે ચિતામાં બળીને મરી જાય, પાણીના પ્રવાહમાં તણાઈને મરી જાય, અંગ ઉપર ઘાસતેલ છાંટી લુગડાં સળગાવી મરી જાય એ વિગેરે કાર્યો સંસારની અસારતાના અંગેના નહિ પણ સંસારની પ્રીતિ છતાં માત્ર બચ્ચાને એક ઈષ્ટ પદાર્થ ન મળે તો બીજા મળેલા ઈષ્ટ પદાર્થોને પણ લાત મારવા જેવી રીસાવાવાળી અજ્ઞાન દશા પ્રગટ કરવામાં આવતી હોય તેવીજ દશાને દુઃખગર્ભિત દશા કહેવાય પણ સંસારની વિચિત્ર દશા દેખતાં સંસાર ઉપરનો મોહ છૂટીને યથાસ્થિત આત્મકલ્યાણ અને તેનાં સાધનોની પ્રાપ્તિ તરફ જે વૈરાગ્યથી જવાય તેને શાનગતિજ કહેવો જોઈએ. એમ ન માનીએ તો નારક કે તિર્યંચ ગતિના દુઃખો અગર ચારે ગતિની આપત્તિઓને વિચારવાથી થતો નિર્વેદ લક્ષણ સમ્યકત્વનો જે ગુણ તે પણ શાનગર્ભિતને અનુસરતો ગણાશે નહિ, માટે કોઈપણ બાહ્ય અગર અત્યંતર કારણોથી ચેતીને કર્મના શાયના કારણ તરીકે પ્રવજ્યાને આદરનારો મનુષ્ય શાનગર્ભિત વૈરાગ્યવાળીજ છે એમ માનનારી અને જાણનારોજ સમ્યગદર્શન અને સગુણાનવાળો છે એમ કહી શકાય.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy