________________
Re૮
તા.૧૩-૫-૨૪
છે
છે તે
છે
શ્રી સિદ્ધચક્ર કે છે श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આ
આગમોદ્ધારકની અમોઘ દેશના.
ગર્ભની અનુભવેલી અવસ્થા બીજાના કહેવાથી જણાય છે.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરીશ્વજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા પ્રત્યાખ્યાન અષ્ટક'ને અંગે આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિકાળથી રખડે છે. આ પ્રકારની જે શ્રદ્ધા થવી તેજ મુશ્કેલ છે, પણે ભરોસાવાળા હોય તે વિશ્વસ્ત મનુષ્યોના કહેવાથી માની શકે છે. મનુષ્ય ડૂબી ગયો હોય, પાણીમાંથી બહાર કોણે કાઢ્યો વિગેરેનો ખ્યાલ ભલે ન હોય પણ બીજાની કહેલી હકીકત ઉપરથી ડૂબનાર જાણી અને માની શકે છે. દારૂ પીનારને પોતાને મદઅવસ્થામાં પોતાની ખરાબ અવસ્થા ખ્યાલમાં હોતી નથી, પણ મદ ઉતર્યા પછી કોઈ કહે તો તે માને છે. ડૂબેલો અથવા તો દારૂડીયો પોતપોતાની ડૂબતી અથવા ઘેનવાળી અવસ્થામાં સાવધાન ન હોવાથી જે કંઇ તે અવસ્થામાં બન્યું તે બીજાના કહેવાથી તેમના ભરોસા ઉપર બધી વીતેલી હકીકત માને છે. તે વખતે બિલકુલ ખ્યાલ ન છતાં વાત કબુલ કરી લે છે. તો આ જીવ મોહમાદરાએ છાકેલો અનાદિકાળથી છે. અજ્ઞાનના પુરમાં તણાઈ ગયેલા તેવાને આગલા ભવોનો ખ્યાલ ન આવે. આપણે સવાનવ મહીના ગર્ભમાં રહ્યા પણ આપણને બીજો કહે તો માની લેવાનું પણ આપણે ખ્યાલ કરવા જઈએ તો એ માંહેલું કંઈ યાદ ન આવે. આ ભવની બાળપણાની અવસ્થાઓ પણ ખ્યાલમાં આવતી નથી. નાસ્તિકો પણ આ ભવની હકીકત બીજાના કહેવાથી માને છે.
ગર્ભમાં રહેવું, માતાને ધાવવું, ધૂળમાં રમવું આ વિગેરે બાળપણામાં અનુભવ્યું છે છતાં ખ્યાલમાં નથી પણ નાસ્તિકો આ બીજાના કહેવાથી કબુલ કરે છે. એટલે આ ભવની હકીકત નાસ્તિકોને પણ માન્ય. પહેલા ભવની હકીકત અનુભવમાં, મગજમાં ઉતરતી નથી. પહેલા ભવની હકીકત અનુભવમાં આવે તો જ માને એ શી રીતે બનવાનું ? અનુભવમાં આવવાનું નહિ તેથી માનવું નહિ? પણ જેઓ હલુકર્મી છે ભૂલા પડેલા બધા સરખા નસીબવાળા હોતા નથી. કોઇને પોતાની મેળે રસ્તો મળે તેવા હોય છે, કોઈને બીજાના કહેવાથી રસ્તો મળે છે, તેમ આપણે તેવા જ્ઞાની નથી. તમારી પોતાની મેળે ડૂબેલાની માફક પૂર્વ અવસ્થા જાણી