SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૩es શ્રી સિદ્ધચક્ર તા.૧૩-૫-૩૪ પ્રશ્નકાર:ચતુર્વિધ સંઘ, માધાનકાસ્ટ: સ્પકલઠ્ઠાટત્ર પાટંગત આાગમોધ્યા શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ. E Hallo પ્રશ્ન ૬૭૨- જ્ઞાનાવરણી વિગેરે કમાંના ઉપક્રમ (નાશી જેમ જ્ઞાન. જ્ઞાની અને જ્ઞાનના સાધનાની ભક્તિ આદિ દ્વારા કરી શકાય છે તેવી રીતે આયુષ્યને અંગે જેટલું બાંધ્યું હોય તેટલું જ ભોગવાય છે કે તેમાં ઓછાપણું થાય છે ? સમાધાન- જ્ઞાનાવરણીઆદિક કર્મો જેમ નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારનાં હોય છે અને અનિકાચિત એવા જ્ઞાનાવરણીઆદિકનો જ્ઞાનાદિની ભક્તિ આદિદ્વારાએ નાશ થાય છે, અને નિકાચિત એવા જ્ઞાનાવરણીમાં ભક્તિ આદિદ્વારાએ નાશ નહિ થતાં કેવળ ભોગવવાદ્વારા એ જ નાશ થાય છે, તેમ આયુષ્ય કર્મને પણ અનપવર્તનીય (નિકાચિત) હોય તો પુરું ભોગવાય છે પણ અપર્વતનીય (સોપક્રમ, અનિકાચિત) હોય તો રાગદ્વેષાદિદ્વારાએ જલદી ભોગવાઇ ટૂંકા વખતમાં પણ સમાપ્તિ થાય છે; અર્થાત્ આઠે કર્મોને ઉપક્રમ લાગે પણ છે ને નથી પણ લાગતો. પ્રશ્ન ૬૭૩-એક ભવમાં આયુષ્ય કેટલી વખત બંધાય છે અને કયારે બંધાય છે ? સમાધાન-તત્ત્વાર્થ ટીકાકાર મહારાજ ફરમાવે છે કે નિરૂપક્રમ આયુષ્યવાળા પંચેંદ્રિય જીવો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે જ આવતા ભવનું આયુષ્ય બાંધે છે પણ સોપક્રમ આયુષ્યવાળા પંચેદ્રિયજીવો અને પૃથ્વી, અપ, તેલ, વાયુ અને વનસ્પતિ, બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા જીવો મુખ્યતાએ પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, અને તે વખતે જો ન બાંધે તો બધા આયુષ્યનો નવમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. નવમો ભાગ બાકી રહેતાં પણ જો ન બાંધ્યું હોય તો. સત્તાવીસમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. દરેક જીવ પોતાના મરણની અંતર્મુહૂર્ત પહેલાં તો જરૂર આયુષ્ય બાંધે છે. આયુષ્યનો બંધ આખા ભવમાં એકજ વખત હોય છે. (ચાર આયુષ્યોમાંથી આયુષ્ય આખા ભવમાં એકજ વખત એકજ પ્રકારનું બંધાય છે પણ ગતિ, જાતિ વિગેરે નામ કર્મો તો ભિન્ન ભિન્ન જાતિના અને ઘણી વખત બંધાય છે, પણ જે ગતિનું આયુષ્ય બાંધે તે ગતિમાં ગતિ, જાતિઆદિ કર્મો તે ગતિ બાંધતી વખતે મજબુત કરે, અને તેથીજ શાસ્ત્રકારો શરૂનામ નિધત્તારૂ નાનામ નિધત્તા૩’ વિગેરે શબ્દોથી આયુષ્યને વિશિષ્ટ જણાવે છે; અર્થાત્ જે ગતિનું આયુષ્ય ન બંધાયું હોય તે ગ ગતિ, જાતિ વિગેરે કર્મો સામાન્ય બંધમાં રહે છે પણ નિધત્ત થતાં નથી.) પ્રશ્ન ૬૭૪- આયુષ્ય જલદી ભોગવાઇ જાય અગર તૂટે એમ માનવામાં કરેલા કર્મનો વગર ઉપભોગે નાશ થયો એમ માનવું પડે કે નહિ ?
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy