________________
૩૨૨
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર રહેલો પાપસ્થાનક છોડે તે ખાળે ડૂચા સરખું છે. આ ખોટું થાય છે મોહને આધીન થઈ બચાવવા પ્રયત્ન કરુ છું. છોકરાએ અપકૃત્ય કર્યું. કુટુંબની આબરૂ જાળવવા માટે આ કરવું પડે છે. આ બધું ધર્મ સમજેલાને રહે છે. આથી પોતે બિનજવાબદાર અગર બચી જઈ શકતો નથી. એ માટે સંસારરૂપ કમિટિમાંથી જ્યાં સુધી રાજીનામું આપતો નથી ત્યાં સુધી અવિરતિરૂપ પાપની જોખમદારીમાંથી છૂટી શકતો નથી.
જેમ એક કંપની ખોલી તેમાં મેમ્બર તરીકે દાખલ થયા, તો તેમાં નફાનુકસાનને અંગે તમે ભાગીદાર છો તેમ અહીં અઢાર પાપસ્થાનકરૂપ કંપનીના તમે ભાગીદાર છો. જ્યાં સુધી તે પાપરૂપ કંપનીમાંથી રાજીનામું નહિ આપો ત્યાં સુધી પાપના ભાગીદાર છો. આથી કIRTગો સર્વિ પદ્ગા ઘરથી નીકળવું ને નીકળીને સાધુપણું લેવું આ બે વાત કરવી પડે છે. અણગારીપણું લીધું એટલે સાધુપણું આવી ગયું. અહીં બે વાત જુદી કેમ કહેવી પડી? પહેલા રાજીનામું દે પછી નવી કંપનીમાં દાખલ થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અંગીકાર કરવાના અને સાવઘયોગ ત્યાગ કરવાના આ બે પચખાણ રાખીએ છીએ. તીર્થકર સરખાને પણ આ બે વાત કરવી પડે. આ સમજી અઢાર પાપસ્થાનકરૂપ કંપનીમાંથી નીકળી, એટલે રાજીનામું આપી એક દિવસ પણ તેમાંથી રાજીનામું આપ્યું હોય અર્થાત્ જેનું મન સંસારથી નિવૃત્ત થઈ સંયમમાં અનન્યપણે રહ્યું હોય એવા કદાચ અભવ્ય કે મિથ્યાદેષ્ટિ જીવો હોય તે દ્રવ્યચારિત્રના ફળ તરીકે નવરૈવેયક સુધી પહોંચી શકે છે. ત્યાં કર્મક્ષયની બુદ્ધિ હોતી નથી, પૂજાની, માનતાની, દેવલોકાદિકની ઇચ્છાએજ સાધુપણું લે છે. તેવા પ્રકારના સાધુપણાથી તેવા અભવ્ય કે મિથ્યાષ્ટિ જીવો નવરૈવેયક સુધી પહોંચે છે. અશાને, અજાણપણે, અન્ય ઇચ્છાએ, વિરૂદ્ધ ઇચ્છાએ, બળાત્કારે કરેલું પાપ ભોગવવું જ પડે છે તેમ તેનો અન્નાનાદિકથી કરેલો પરિવાર તેથી પણ ફાયદો થાય છે.
અજ્ઞાને, અન્ય ઇચ્છાએ, અણસમજથી, વિરૂદ્ધ ઇચ્છાએ કરેલું પાપ પણ જીવને ભોગવવું પડે છે. વગર ઇચ્છાએ, બળાત્કાર કરેલો, અણજાણપણે કરેલો અબ્રહ્મવ્રતનો નાશ દુર્ગતિ દે છે. તેથી સપુરુષોને જીવનના ભોગે બ્રહ્મચર્ય પાળવું પડે છે. બીજો ફોસલાવી પતિત કરી નાખે તો પતિતપણું ન થયું તેમ નહિ. અગર પાપ બળાત્કારે, અજ્ઞાનતાથી, લાલચથી થાય તો તે ભોગવવું પડે છે. તે પાપનો પરિહાર અન્ય ઈચ્છાએ હોય તો પણ તે આત્માને ફાયદો કરે છે.