________________
૩૦૬
તા. ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર એક અભિષેક જે અભિષેકથી અહીંના નદી સરોવરો વિગેરે ભરાઈ જાય તેવા કળશો. એક બાજુ પાણી માટે સાધુની જીંદગી જવા દે તે, બીજી બાજુ પોતાની ભક્તિ માટે પાણી ઢોળાવે એનું કારણ? જરા વિચારો ! વિચારસરણીને જરા પલટાવો ! એ પૂજા કરનારનું અનાદિનું ભવભ્રમણ ટાળવા માટે છે, નહિ કે પોતા માટે. પૂજા કરનાર કોઇપણ પ્રકારે મોક્ષે પહોંચે તો જીવમાત્રનો અભયદાતા થાય. ત્યાગ કરી જગતને અભયદાન દેનાર થવાની ભાવનાએ પૂજા કરવાની છે. રખડાવનારી, આત્માને ભારે કરનારી હિંસાને, હાનિકર હિંસાને અહીં આ કારણે પૂજામાં લાભદાયક ગણી. જેને અનાદિના ભવભ્રમણનો ડર લાગ્યો તેને આવી દ્રવ્યપૂજા કરણીય. એવો ભય રાખનાર સમકિતિ.
શ્રીગૌતમસ્વામિને નમઃ
શું આગમોની જરૂર છે ?
” તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભુલતા નહિ ... ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુણ્ડિત શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઇઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિમતે પણ મળતી નથી, તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે.
માટેજ તેના ગ્રાહક થનારે દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેને સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં.
હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ ક્રમસર શરૂ કરાશે. - તા. કઃ- આ વખતે કોઈ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યા છે, તેઓને રીતસરની પહોંચ ટુંક સમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે.
નાણાં ભરવાનું સ્થાન.)
શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભૂલેશ્વર, લાલબાગ મુંબઈ. નં. ૪