________________
તા. ૩૦-૩-૩૪
૨૯૨
શ્રી સિદ્ધચક્ર પડયું, કેમકે જે જે મનુષ્ય જે જે પદાર્થને કહેનારો હોય તે તે મનુષ્ય તે તે પદાર્થને જાણનારો તો જરૂર હોય. અર્થાત્ પદાર્થના કથનથી તેના આત્મામાં રહેલો તે પદાર્થનો ક્ષાયોપથમિકભાવથી રહેલો બોધ જાણી શકાય. જો કે શાસ્ત્રને કહેનારા પદોમાં આખા શાસ્ત્રને જાણનારા અને ઉપયોગવાળા આગમથી ભાવ અધિકારમાં લેવાય તો આગમ થકી દ્રવ્ય અધિકારમાં અનુપયોગથી આખા શાસ્ત્રને કહેનાર લેવા પડે, અને જો ભાવ અધિકારમાં એકલા તે પદના અર્થને જ આગમથી લેવામાં આવે તો તે પદ માત્રના અર્થને અનુપયોગથી બોલનારો આગમથી દ્રવ્યમાં લેવો. શાસ્ત્રકાર મહારાજા પણ આવશ્યકના અધિકારમાં માવત્તિ પIિR આદિ કહીને તે તે પદનો અર્થ અને તે તે સૂત્રનો અર્થ જણાવે છે. અર્થાત્ દ્રવ્યના આગમભેદમાં જો કે ઉપયોગ તે તે વસ્તુનો કે પદાર્થનો નથી, તો પણ ઉપયોગના કારણરૂપ જ્ઞાન છે એમ તેના બોલવા ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે. નંદીની અપેક્ષાએ દ્રવ્ય આગમનો ભેદ.
ઉપર પ્રમાણે દ્રવ્ય આગમનું સ્વરૂપ જાણ્યા પછી હવે ચાલુ અધિકારમાં જે નંદીના નિક્ષેપા વિચારાય છે તેમાં આગમથક દ્રવ્યનંદી કોને કહેવાય તે વિચારવું જોઇએ. શાસ્ત્રકારોની અપેક્ષાએ વાસ્તવિકનંદી પાંચ જ્ઞાનરૂપ છે, અને તેથી અનુપયોગપણે પાંચે જ્ઞાનના સ્વરૂપને એટલેકે નંદીઅધ્યયન આદિને કહેનારો આગમ થકી દ્રવ્યનંદી કહી શકાય, પણ જગતની અપેક્ષાએ ભંભા આદિ બાર પ્રકારના વાજીંત્રોને નંદી માનેલો હોવાથી તે બાર પ્રકારના વાજીંત્રના સ્વરૂપને અનુપયોગપણે કથન કરનારો મનુષ્ય પણ જગતની અપેક્ષાએ આગમ થકી દ્રવ્યનંદી કહી શકાય, કેમકે તે ભંભાદિક બાર પ્રકારના વાજીંત્રના સ્વરૂપને પણ તેજ કહી શકે કે જે તે વાજીંત્રના સ્વરૂપને જાણનારો હોય, એટલે તે અપેક્ષાએ આગમ થકી દ્રવ્યનંદી કહેવામાં અડચણ નથી. પણ એકલા નંદી શબ્દના અર્થને પણ અનુપયોગ પણે કહેનારો તે આગમ થકી દ્રવ્યનંદી કહી શકાય. લોકોત્તર દૃષ્ટિથી જ્ઞાનપંચકનું નિરૂપણ જેમ અપૂર્વ આનંદનું કારણ છે અને તેથી તેને ભાવનંદી કહેવામાં આવે છે તેવી રીતે લૌકિકદષ્ટિએ ભંભાદિક બાર પ્રકારના વાજીંત્રોનું એકી સાથે વાગવું તે આબાલગોપાલને પરંઆનંદનું કારણ હોઈ તેને તાત્વિકનંદી ગણવામાં આવે અને તેથી તેના સ્વરૂપને અનુપયોગપણે કહેનારો દ્રવ્ય થકી આગમનંદી લૌકિક અપેક્ષાએ ગણાય એમાં આશ્ચર્ય નથી.
ગ્રાહકોને સૂચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી, તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઈને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી.