SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ તા.૧૫-૩-૩૪. શ્રી સિદ્ધચક્ર છે ને પરલોક જવાનો છે તેમ માને તે આસ્તિક એવું ન માને તે નાસ્તિક. આથી શાસ્ત્રકારોએ વ્યુત્પત્તિ કરતાં જણાવ્યું કે ‘તિ પરોવર મિિતિ' પરલોક, આદિ શબ્દથી જીવ પુચપાપ વિગેરે છે એવી બુદ્ધિવાળો આસ્તિક પરલોક વિગેરે છે એવી બુદ્ધિ ન હોય તે નાસ્તિક. ૨૪ કલાકમાં આપણે આસ્તિક કેટલો વખત ? અને નાસ્તિક કેટલો વખત ? પરલોક વિગેરે છે એવી બુદ્ધિવાળાને આસ્તિક કહ્યો પરલોક નથી એવી બુદ્ધિ જેની હોય તે આમ નથી કહેતા. ૨૪ કલાકમાં કે પરભવ કેટલો વખત વિચારીએ છીએ ? પરભવ ને પરલોકના વિચાર વગરનો કેટલો વખત જાય છે ? તે વિચારો !! માન્યતા અંદર ભલે હોય પણ અત્યારે વિચાર પર આવીએ છીએ? વિચારી પ્રવૃત્તિ કેટલી કરીએ છીએ ? બીજા ભાડાના ઘર માટે ભાડાની પણ તૈયારી કરતા નથી. પરભવ માટે નવું પુન્ય ઉપાર્જન કરતા નથી. આ પુન્ય તેજ ભાડું. પરભવ માટે પાપ એકઠું કર્યું તો રખડપટ્ટીની દશા આવવાની. આસ્તિકની માન્યતા આ જગા પર જુદી પડે છે. ભાડું તૈયાર નહિ કરું તો શી વલે થશે? આવી વલે ન થાય માટે આસ્તિકે પરભવ માટે પુન્ય જરૂર પેદા કરવું જોઈએ. આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા. નાસ્તિકને મર્યા પછીનો વિચાર કરવાનો હોતો નથી કદાચ કહેશો કે આપણે તો ભવનું કામ નથી. સારો કે નઠારો ભવ તેનું અમારે કામ નથી. અમારે તો ફક્ત મોક્ષનું કામ છે. અમારે સુંદર ભવની સહેલ કરવી નથી. ખરાબ ભવના ખાબોચીયામાં ખદબદવું નથી. અમારે તો માત્ર મોક્ષ જોઇએ છે. આ તમારી વાતમાં બે મત છે જ નહિ. પણ એક નવી વહુ ઘરમાં આવી. ઘરમાં રસોઈ થતી દેખી, રસોડામાં ધૂમાડો નીકળવા લાગ્યો. ધૂમાડો આંખમાં પેસી ગયો. આંખે પાણી આવ્યાં. રસોઈ થઈ ગઈ, બધા જમ્યા. બીજે દહાડે વહુને રસોડામાં રસોઈ કરવા કહ્યું. ત્યારે વહુએ કહ્યું કે આપણે ખાવાથી કામ છે ચુલો સળગાવવાની જરૂર નથી. ખાવાથી કામ છે તેમાં બે મત નથી. ચુલો સળગાવવો ધૂમાડો ખાવો તેમાં કંઈ મતલબ નથી. આમ નવી વહુ જેવા મૂર્ખ અજ્ઞાની ચાહે તેમ કહે. તેમ આપણે મોક્ષથી મતલબ છે, ચુલો સળગાવવાથી ને ધૂમાડાની માફક પુન્યની કંઈ મતલબ નથી. ખાવાની વાત રાખવી. ધૂમાડો વેઠવાની વાત રાખવી નહિ. ખાવામાં વધુ એક મત થઈ તેમાં શું વળ્યું? ચુલા ને ધૂમાડા વગર ખાવાનું શું? તેમ અહીં માત્ર મોક્ષની મતલબ છે તેમ કહેનારા શાસ્ત્ર તરફ ધ્યાન દેતા નથી. શાસકારો પુન્ય કર્મ છતાં તેને નાશ કરવાનું જણાવતા નથી. શાસ્ત્રકાર ધર્મિષ્ઠોના વ્યાન વખતે પુJUવા... તેમના મત પ્રમાણે તસ્સ ઉત્તરીમાં ગણધર મહારાજા ભૂલ્યા. પાવાણું કમાણે નિાયણાએ પુન્ય કમ્માણે નિશ્થાયણટ્ટાએ કહેવું હતું. તમારું જેમ પાપે બગાડયું છે તેમ પુજે પણ બગાડયું છે પાપકર્મના નાશ માટે કહ્યું પુન્યકર્મના નાશ માટે ન કહ્યું. નરકગામી વિગેરે અધમનું વર્ણન કર્યું ત્યાં પાપરતિ વિગેરે વિશેષણ દીધાં. હેલણા, નિંદાની જગાપર પુન્યને નિયું નથી. જેવું પાપ તેવું પુન્ય, પુન્ય તેવું પાપ બે સરખા ગણાવા જોઇએ. પુન્ય કે પાપ જે કોઈ કર્મ હોય તેના નાશ માટે બોલી દે, નવકારમાં પણ ભૂલ થઈ. સવ્વપાવપ્પણાસણો
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy