________________
રિસ્પર
શ્રી સિદ્ધચક
તા.૧-૩-૨૪
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
વિશ્વ ને
તે સમાધાન- સકલશાસ્ત્ર પારંગત,સ્યાદ્વાદસિદ્ધાંત સુધા- સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ,
પ્રશ્નકાર - ચતુવિધસંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારા એ પૂછાયેલા પ્રશ્નો.)
પ્રશ્ન ૬૪૨- કુંભકારકટક નગરને બાળવાનું નિયાણું કરવાનું કારણ, તે નિયાણાનું સ્વરૂપ અને તે નિયાણું કરનાર આચાર્યનું નામ શું?
સમાધાન- નિયાણું કરનાર આચાર્યનું નામ અંદાચાર્ય અને અને તેઓને પોતાના શિષ્યોને યંત્રથી પડવાનું દેખીને નિયાણું કરવાનું થયું અને બળ, વાહન, રાજધાની સહિત પુરોહિતનો નાશ કરવાનું નિયાણું કર્યું. તેઓએ અગ્નિકુમારમાં ઉપજી તે સ્થાનનો નાશ કર્યો અને તેનું દંડકારણ્ય નામ થયું.)
પ્રશ્ન ૬૪૩- નય fજ પિિસદ્ધવાવિ fજળવરદિા મોતું મેદુળભાવે વિણા રોહિં . આ ગાથાના ભાવથર્ગે આગળ કરીને મૈથુન સિવાય કશી પણ જ્ઞાનાદિક કે હિંસાદિક વસ્તુ ભગવાને કરવી કહી નથી કે નિષેધી પણ નથી એમ કહેવાય છે તે ખરું? | સમાધાન-મૈથુનની માફકજ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહનો પણ જીનેશ્વરદેવોએ નિષેઘ કરેલો જ છે, માત્ર અકથ્ય એવાં હિંસાદિકને સર્વથા આચારવાની આજ્ઞા કરી નથી,તેમજ જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરેના આલંબન માટે તેનો સર્વથા નિષેદ પણ કર્યો નથી, અર્થાત્ સંયમનું લક્ષ્ય રાખી માયા રહિત થઈ પ્રવર્તવું એવો આ ગાથાનો ભાવાર્થ છે, એટલે કે દ્રવ્ય ભાવ આશ્રય રોકાય ને જ્ઞાનાદિકની વૃદ્ધિ થાય તેમ પ્રવર્તવું એ જણાવનારી આ ગાથા છે અને તે આશ્રવનું રોકાણ ને જ્ઞાનાદિકનું વધવું મૈથુનથી કદી પણ થતું ન હોવાથી તે સર્વથા નિષેધ્યું છે.
પ્રશ્ન ૬૪૪- કેટલાકો કહે છે કે મૈથુનમાં સ્યાદ્વાદ નથી ત્યારે કેટલાક તેમાં પણ સ્યાદ્વાદ માને છે.આમાં તત્વ શું? - સમાધાન- મૈથુનના વિષયમાં સ્યાદ્વાદ નથી જ એટલે કે જીનેશ્વર મહારાજે કોઈપણ પ્રકારે તેને આચરવાની છૂટ આપી નથી. તત્ત્વ એ છે કે હિંસાદિકનું આચરવું જો જ્ઞાનાદિક આલંબને થયું હોય તો તેમાં પ્રાયશ્ચિત લેવું પડતું નથી પણ મૈથુનની પ્રવૃત્તિ તો કોઈ પણ સંયોગે થઈ હોય તો તેની શુદ્ધિ કરવી જ પડે છે, એટલે પ્રાયશ્ચિત કરવું જ પડે છે, એટલે પ્રાયશ્ચિત કરવું પડે ને ન કરવું પડે એ પુરતું સ્યાદ્વાદ નથી અને છે એમ સમજવું, એટલે હિંસાદિકના દોષોની શુદ્ધિ જ્ઞાનાદિકની વૃદ્ધિના પરિણામથી થઈ શકે પણ મૈથુનના દોષની શુદ્ધિ જ્ઞાનાદિકના પરિણામથી થતી નથી પણ પ્રાયશ્ચિત આચારવાથી જ તેની શુદ્ધિ થાય છે એ તત્ત્વ છે અને આજ કારણથી સંસારના જેટલા કારણો તેટલા મોક્ષના કારણો કહેવાય છે.