SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ તા.૧૩-૨-૩૪ શ્રી સિદ્ધચક્ર વ્રતની વિરાધનાને લીધે મંગુ નામના આચાર્ય અનાર્યમાં ઉત્પન્ન થયા છતાં તેજ વ્રતના પ્રભાવે ફરીથી સદ્ગતિ પણ પામ્યા, કે નહિ? પામ્યા એટલાજ માટે ભગવાનશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે વાપ્યમાન મદ્ભાવ પ્રત્યારવ્યાનસ્ય વારy{ તૂટી જાય, નુકશાન થાય, એટલે જેનું કારણ તુટતું છે એવું વ્રત પણ ભવિષ્યમાં ભાવપ્રત્યાખ્યાનનું પરમ કારણ થાય છે. વ્યવહારિક અપેક્ષાએ પણ ભાગેલી એવી લાકડી હાંલ્લા ફોડવામાંથી જતી નથી, ખોડી બિલાડી પણ અપશુકન કર્યા વિના રહેતી નથી તેમજ કર્મવશાતુ ખંડેલ વ્રત પણ કર્મનું નિકંદન કરવાના કારણભૂત છે. એમ સમજી સૌ કોઈ આત્મા પોતાના આત્મ કલ્યાણને માટે વ્રત નિયમોને જિનેશ્વરની આજ્ઞાનુસાર આરાધશે તે જીવો આ ભાવ પરભવ મહાવિદેહાદિની પરંપરારૂપ કલ્યાણ માંગલિક માળાઓને પામી સિદ્ધિસ્થાનમાં અવ્યાબાધ સુખના ભાગી થશે પ્રથમ-દેશના બાજી બંધ જીવ છે તેમ બધા શાસ્ત્રકારો માને છે, તમારી અને તેઓની માન્યતામાં ફેર શો? કહો કે ત્યાંજ ફરક, એટલે આત્માની ઋદ્ધિ આપણે જેવી માનીએ છીએ, તેવી તેઓ માનતા નથી, જ્યાં જીવને માનવાની તૈયારી થાય ત્યાં જીવનું સ્વરૂપ તમારી (જૈનશાસનની માન્યતાવાળાજ) સન્મુખ નજરે તરે !! કૈવલ્ય સ્વરૂપ દરેક સમયે અતીત અનાગત અને વર્તમાનના ભાવો, લોકોલોકના પદાર્થો, ઈદ્રિય અને મનની મદદ વગર જાણી શકે આવી શ્રદ્ધા જૈન શાસનની માન્યતાવાળા દરેકે દરેક સમ્યકત્વીઓને સમ્યકત્વથી શરૂ થાય છે, ત્યારે ગતિમાં કંટાળો છે; ચારે ગતિમાં દરેક જીવ મહેનત કરે છે, કોઇપણ ગતિમાં કોઇપણ સમય મહેનત વગરના નથી. કંચન કામિની-કુટુંબ અને કાયાની મહેનત બાજુ ઉપર મુકીએ તે ઉપરાંત આહાર લેવો, શરીર બાંધવું તે કઈ ગતિમાં નથી? વસ્તુતઃ દરેક ગતિમાં છે. એકએક ગતિમાં નથી તેમ નથી. આખી જીંદગી મહેનત કરી મેળવેલ સામગ્રીને જતાં ટાઇમ એકજ સમયનો. વિચારો મરણના એકજ સમયમાં આખી જીંદગીના જોખમે તૈયાર કરેલું શરીર, મેળવેલી મિલ્કત, વધારેલો વૈભવ, ભેગી કરેલી ભોગ સામગ્રીઓ એકજ સમયમાં વિના સંકોચે છોડીએ છીએ. સ્વપ્નની બાજીની રમત આંખ ઉઘાડયા પછી કાંઈ નહિ તેમ આંખ મીંચાયા પછી સંસારની સર્વ બાજી બંધ. શું કરવું જોઇએ? આય તેટલી મહેનત કરી હોય તો પણ છોડતાં સમયથી વધારે વાર થતી નથી એવીજ રીતે સ્થાવરજંગમ મિલ્કતની માલિકી પણ સમયમાત્રમાં તૂટે છે-એકજ સમયમાં મીંડું વળી જાય છે. અપૂર્ણ ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ આવી છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી, તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઈને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું. લી. તંત્રી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy