SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી સિદ્ધચક્ર તા.૧૩-૨-૩૪ પ્રમાણની સાથે પતિત સાધુઓના આંકડાની સરખામણી કરો પછી અટકાવવા જેવું શું છે અને તમો કેટલા ભૂલા ભમ્યા છો તેનું સ્વતઃ ભાન થશે ! ધમાધમ શી? તેઓની દરેક વ્યાખ્યાઓ તપાસો! એમ કહેવાય છે કે “વ્રત ના લે તે પાપી ખરો પણ વ્રત લઈને ભાંગે તે મહાપાપી” આમ કહી કર્મ સંયોગે વ્રતથી પતિત થતા આત્માઓને ધૂતકારી એકાન્ત અવૃતિનેજ પુષ્ટિ આપનારાઓ પોતાની આસકિત પૂર્ણ અસકિતના પાસમાં ગુંગળાઇને વ્રતથી તદન વંચિત રહે છે, છતાં પણ એ સ્થાનમાં પોતે વ્યાજબીજ છે એમ અને મનાવવા પ્રયાસ કરે છે. કેટલું હીણભાગ્ય! આવા પામર આત્માઓ કપટને કેળવનાર તરીકે પ્રસિદ્ધિ પામેલ મૃગાવતીજીની દીક્ષાનું અને ઉત્તરોત્તર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી અષ્ટકજીમાં બનાવેલા નિનોfમતિ સ ત્ય, હળ દ્રવ્યતોડણઃ એ આઠમા શ્લોકનું મનન કરે તો તેની શુદ્ધ બુદ્ધ જરૂર ઠેકાણે આવે છે! આ મૂર્ખાઓનો તો એવો સિદ્ધાંત છે કે “વિશ્વાસઘાતી એ એ મહાપાપી” માટે કોઈએ કોઈનો પણ વિશ્વાસ ન કરવો ! કહો કેટલી અજ્ઞાનતા? એની ખરી વ્યાખ્યા એમ છે કે વિશ્વાસ વિચારીને કરવો અને એવો વિશ્વાસ મેળવ્યા કે આપ્યા પછી તેવા વિશ્વાસીનો ઘાત કરવો તે મહાપાપી; એમજ વ્રતમાં પણ લીધા જેવું છે. જેથી વ્રતના ફાયદા, કર્મબંધનનું રોકાણ વિચારીને લેવું અને લીધા પછી તે ભાંગવા માટે લઈને ભાંગે તો મહાપાપી પણ કર્મવશાત્ પડી જનાર તેજ મહાપાપી કહી વ્રતથી દૂર રહેનારા અગર દૂર રાખવા માટે પ્રયત્ન કરનારા તો ધોબીના કૂતરા જેવાજ છે ! પણ તે સમજાય કયારે !!! - વિશ્વાસ વિના તો અંધાધુંધીજ ચાલે-ફાયદા પણ વિશ્વાસ બેઠા પછીજ. “વિશ્વાસઘાતી એ મહાપાપી” તો એ વાતને વળગીને બિલકુલ વિશ્વાસ જ નહિ કરનારાને કેવા ગણવા? વ્રત લેતી વખતે તેનાથી થતા ફાયદા, આત્માને વળગતા કર્મબંધનની ભીતિ, કર્મ તૂટવાની રીતિ અને તેમાં રહેલી ઉત્તરોત્તર મોક્ષ મેળવી આપવાની વિશિષ્ટ શક્તિને વિચારો અને પછી વ્રત લેવાય એ બધું ક્ષયોપશમથી થાય છે પણ દુષ્કર્મના ઉદય તે તૂટવાના પ્રસંગોએ ઉત્પન્ન થાય અને તૂટે પણ ખરું ! તેમાં આટલી ધમાધમ શી? શા ઉપયોગની ? એટલાં જ માટે ફરી ફરીને કહીએ છીએ કે પાખંડોને વિચારો. અધર્મે વળેલા આત્માઓ લોકોત્તર સમાજના શ્રેષ્ઠ નાવને ઉંડા ખાડામાં ધકેલે, તે પહેલાં તેની જરૂરીયાતવાળા સતતુ સાવધાન થાઓ ! દુનિયાની દૃષ્ટિએજ તપાસીએ તો ભાગીદારી સેંકડોએ કરી અને તોડી, સમાજના સજ્જડ બંધારણ સાથે સમજણપૂર્વકના સ્નેહલગ્નો પણ સેંકડોએ તોડયા અને જોડ્યા, નોકરોને પ્રમાણિક માનીને પોષ્યા પછી હજારોએ રજા આપી, નજીવી બાબતોમાં પણ ક્રોડો કોર્ટે ચડ્યા! આવી અશાશ્વત સ્થિતિઓને અનેકવાર અનુભવી, તેના ભયંકર પરિણામો ભોગવ્યા, છતાં ભોગવનાર હજા પણ તેનો અટકાવ કેમ કરતા નથી? ત્યારે તો કહેશે કે સંસાર જ એવો છે. અમો પણ એ અનભિજ્ઞોને કહીએ છીએ કે ચડવાની ભાવનાવાળા ચડતાં ચડતાંએ પડી જાય એવો વૈરાગ્ય પણ તીવ્રતર છે. ઉંચા અને તદ્દન સાંકડી પગથીયાવાળા પર્વત ઉપર યાત્રાને માટે ચડનારો માણસ આજુબાજુ પૂરતી સંભાળ રાખીનેજ ચડે ! એમ છતાંએ કયાંક પગ ખસી જાય અને પડે. ત્યારે આ અજ્ઞાનીઓ એમ ઠરાવવા મથે છે કે પર્વત ઉપર કોઇએ ચડવું જ નહિ! કેટલી હાસ્યાસ્પદ ઘટના ! રાસભ પણ ડફણા ખાધા પછી તો ઘણીની આજ્ઞાનુસાર જ વર્તે તદ્દનુસાર તેવાને સુધારવાની સુજ્ઞોને જિજ્ઞાસા રહે તે ઠીક છે પણ અનેકવાર આદરેલી ભયંકરતાનો ભોગ બન્યા છતાં શ્વાનની પૂછડી માફક ટેવાઈ ગયેલા અજ્ઞાતોમાં હજુ પણ તેવી આશા રાખવી તે બુદ્ધિનો દુરૂપયોગ કરવા
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy