________________
૨૩૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
૧૦૧૪ વિનીત શિષ્યોને પ્રભુ માર્ગમાં પ્રયાણ કરાવવાના કાર્ય કરતાં પ્રમાદી શિષ્યોને પ્રભુ માર્ગમાં પ્રેરણા પૂર્વક પ્રયાણ કરાવવાનું કાર્ય ઘણુજ કપરૂં અને કઠણ છે, અને તેથી જ તે શાસનહિતચિંતક આચાર્યો તીર્થંકર તુલ્ય ભાવાચાર્યની ભાવવાહી કાર્યવાહીને કુશળતા પૂર્વક કરી રહ્યા છે એવું યશોગાન અનેક પૂર્વાચાર્યોએ કર્યું છે, તેમજ જગા જગા પર કહ્યું છે.
શ્રીગૌતમસ્વામિને નમઃ
શું આગમોની જરૂર છે ?
હા.
તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભુલતા નહિં..........
ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુમ્મિત શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઇઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગમોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિમ્મતે પણ મળતી નથી; તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે.
માટેજ તેના ગ્રાહક થનારે દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેને સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં.
હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ ક્રમસર શરૂ કરાશે.
તા. કેઃ- આ વખતે કોઇ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યાં છે, તેઓને રીતસરની પહોંચ ટુંકસમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે.
નાણાં ભરવાનું સ્થાન. )
શ્રીસિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, ભૂલેશ્વર, લાલબાગ મુંબઇ. નં. ૪