SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૩-૨-૩૪ ૫ શ્રી સિદ્ધચક્ર. અહીં પણ ત્રણ પગથીયાં. પહેલે પગથીયે ધનકણ કંચન કામિનીની જેવી કિમત ગણે તેવી કમત નિગ્રંથ પ્રવચનની ગણે તે બધા પાપને પાપ માને અને સ્વાર્થનું રક્ષણ કરે અને તેવી જ રીતે નિગ્રંથ પ્રવચન પ્રણીત અનુષ્ઠાનોનું પણ રક્ષણ કરે. પાપ છોડે અગર ન છોડે પણ પાપને માને તો પાપજ કદાચ કોઈ પૂછે કે “પાપ માનવું છતાં ન છોડવું' એના કરતાં ન માનવું ખોટું શું? શું ચોરી કરવી એટલે ખરાબ ન માનવી? શું અવિવેક કરાતો હોય માટે ખરાબ ન માનવો ? અર્થાત્ કહેવું પડશે કે માનવો જોઈએ તેવી રીતે સમકિતી જીવ ભલે પાપ છોડી ન શકયો હોય, પાપથી પોતે ખસી ન શકયો હોય, પણ પાપને પાપ માન્યા સિવાય રહી શકે નહીં. દરેક પાપને પાપ માનેજ. બીજે પગથીયે ધન, કણ, કંચન, કામિની આદિ લાભ પ્રસંગોના ભોગે પણ નિગ્રંથ પ્રવચનનું રક્ષણ કરવાની ટેવ અને ત્રીજે પગથીયે કાયા, કંચન, કામિની, અને કુટુંબ વિગેરે જગતના તમામ પ્રસંગો અનર્થકારી લાગે અર્થાત્ તરણતારણહાર નિગ્રંથ પ્રવચન સિવાય જગતના બધા પ્રસંગો જpલ્મનાર જણાય. આ ઉપરથી અર્થ પરમાર્થ અને અનર્થ એ સમજવા મુશ્કેલ છે, અને ત્રણની આચરણા જીવનમાં ઉતરે તોજ સમ્યકત્વ છે એમ સમજવું અને સમકિતી સમ્યકત્વ સહિત દેશવિરતિ અને સર્વવિરતિમાં આ વિચારણાના અવકાશની જરૂર છે. પોતાના દુનિયાદારીના નિભાવને ધ્યાનમાં રાખી એને અંગેના આવશ્યક પાપને છુટું રાખી અનાવશ્યક પાપને છોડવાં તે સમ્યકત્વ સહિત દેશવિરતિપણું. સમકિતવાળાને, વ્રતધારી શ્રાવકને, અને સર્વવિરતિવાળાની ત્રણ પગથીયા પૈકીની વિચારણા એક સરખી હોય ફક્ત ૪-૫ અને ૬ઠ્ઠા ગુણઠાણાના ફરક આચારની તરતમતાને લીધે છે એ સ્વીકારવું પડશે, અર્થાત્ સાધુઓની માન્યતા અને શ્રાવકોની માન્યતામાં લેશભર ફેર નથી. આખુ જગત સાધુ થઈ જશે તો એમની ભક્તિ કોણ કરશે? આવી શંકા કરનારનું સમાધાન એક ગામમાં સ્કુલ (નિશાળ)ના મકાનનો પાયો નંખાતો હતો. ત્યાંના અમુક આગેવાનોએ પૂછયું કે-“આ થાય છે? જવાબ મળ્યો કે-“આ નિશાળ થાય છે, આમાં છોકરાંઓને અનીતિથી દૂર રહી નીતિથી વર્તવાનું ભણાવવામાં આવશે.” પેલા આગેવાનો ઘેર ગયા તથા સરકારના, પોલિસોના, ચોકીદારના, લુહારના, ચોરના, લુંટારૂઓના અને સુથારના દરેક આગેવાનોને એકઠા કરી કહેવા લાગ્યા કે, જુઓ છો શું? હવે તમારું આવી બન્યું ! તમારા નાશના પાયા ખોદાય છે ! તમે તમારી જીંદગીમાં ભૂખે મરશો, નહિ તો છેવટે તમારાં બાળબચ્ચાં તો ભૂખે મરવાનાંજ ! આજે મકાન ચણાય છે તે નિશાળ થવાની-તેમાં છોકરાઓને શું ભણાવાશે તે જાણું? નીતિનું શિક્ષણ ! એટલે ? જાડું ન બોલવું, ચોરી ન કરવી વિગેરે શિક્ષણ અપાશે” પેલા ચોકીદાર વિગેરેના આગેવાનો પૂછવા લાગ્યા કે તેમાં નુકશાની શું? પેલા આગેવાનો સ્પષ્ટીકરણ કરી સમજાવવા લાગ્યા-અરે ! તમે તો ભોટ છો! જરા સમજો તો ખરા ! લોકો તાળાં, કળો, નકુચા વિગેરેના ઉપયોગ શાથી કરે છે? ચોરો છે માટે, જો ચોરોજ નહી હોય તો એ બધું કોણ લેશે ! તિજોરી કોણ કરાવશે? લુહાર માત્ર ભીખ માગશે ભીખ ! ચોરો નહીં હોય તો ચોકીદારોનો ભાવ પૂછશે કોણ? સુથાર પાસે ગુપ્ત પેટીઓ, કબાટો વિગેરે કરાવશે કોણ?
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy