________________
૨૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
(
$
$ $
$
$ $ $ $ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
धर्मोमंगलमुत्कृष्टं, धर्म:स्वर्गापवर्गदः । धर्म:संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ સમ્યકત્વ અને મિથ્યાત્વ એ બે ચીજમાં સ્વતંત્ર વિરોધીપણું, શબ્દાદિ વિષયરૂપ સમ્યકત્વ નથીજ. ભવ્ય, અભવ્ય, સમકિતી, મિથ્યાત્વી, સંસારી અને મોક્ષે ગયેલા બધા આત્માઓના આત્મસ્વરૂપમાં અંશમાત્ર તફાવત નથી !! “સર્વજીવોને સમ્યકત્વ છે” એજ માન્યતા સ્વીકારનારા આ દર્શનમોહનીય માની શકે છે ૧ ખસેડી શકતોજ નથી, ૨ ખસેડી શકયો નથી અને ૩ ખસેડીને પ્રગટ કરી શકે છે એ વાક્યોને વિચારનારાઓ અભવ્ય, મિથ્યાત્વી અને સમ્યકત્વીના સ્વરૂપને સ્વીકારી શકે છે. દર્શનમોહનીય ખસેડવાનો રાજમાર્ગ. મોક્ષ મહેલ માટે ચૌદ અને નિગ્રંથ પ્રવચનના સ્વીકાર માટે ત્રણ સોપાન. પદાર્થના નિર્ણય સાથે પ્રભુમાર્ગની પ્રવજ્યાનો ગાઢ સંબંધ. ત્યાગ રૂછ્યા વગર અને સ્વીકાર્યા વગર નિગ્રંથ પ્રવચનની ઉત્પત્તિ નથી. ત્યાગની પ્રતિજ્ઞા વગરના છે તેથીજ શ્રમણોપાસકોને સૂત્રાથદિનો નિષેધ. વફાદારીના સોગન વગર સર્વજ્ઞા શાસનમાં સ્થાન નથી. ત્યાગની રૂચિ વગર વફાદારી નથીજ. ત્ર-સ્થાવર સૂમ બાદરને નુકશાન પહોંચે તેવા વિચાર-વાણી-વર્તન પર અંકુશ. “છકાયની શ્રદ્ધા એજ સમ્યકત્વ” એ વ્યાખ્યાશ્રી સિદ્ધસેન દિવાકરજીએ કરી છે. સ્થાવર જીવોનું યથાસ્થિત સ્વરૂપ જૈનદર્શન સિવાય અન્યદર્શનમાં નથીજ. વિચાર અને આચારમાં અનુક્રમે સામ્યતા અને ભિન્નતા. આચારની ભિન્નતાએ ગુણઠાણાઓના વિભાગ. “નિશાળ એ પણ નાશનો પાયો છે” એવું કથન કરનારાઓ વીસમી સદીમાં છે ! સત્તાદ્વારા એ ગુન્હાની અટકાયત નહિ કરનારાઓ સ્ફલાદિતવારા એ અટકાયત કરવાની આંધળી દલીલોનો દરોડો પાડે તે જગતના અવ્યાહત નિયમોને સમજતો નથી, તો પછી જૈનશાસનના જગત હિતકારી કાયદાઓને કેમ સમજશે? નિગ્રંથ પ્રવચનનો નિગ્રંથપણા સાથે ગાઢ સંબંધ ! પાંચ પ્રતિજ્ઞાલોપકોના હાથમાં શાસન અને શાસ્ત્રની લગામ ન સોંપાય ! શાસનની ઉન્નતિ માટે શાસનસેવકોની ભરતી કરો ! શાસનસેવકો માટે