SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી સિદ્ધચક તા.૩૦-૧-૩૪ દેવાધિદેવો અને ત્યાગી ગુરૂવર્યો પણ ધર્મકારા એ (શ્રુતચારિત્ર રૂપ ધર્મકારાએ) રખડપટ્ટીરૂપ દારિદ્રને નાશ કરે છે. ૯૭૪ આંધળા ઇચ્છિત નગરે પહોંચે તેમાં મહિમા દેખવાવાળાનો છે, તેવી રીતે ઇચ્છિત સ્થાનરૂપ મોક્ષે જવામાં તે તારકદેવોનો મહિમા છે; એવું કહેવામાં જેને સંકોચ થાય તેઓ પરોપકારને પિછાણાં નથી. ૯૭પ “ વિના નિત્યં નિયં” એ વાકયને વિચારીને શ્રમકો પાસકવર્ગ વર્તનમાં મુકે તો શ્રમણ સંઘ પ્રત્યેનો અણગમો હેજ દૂર થાય. ૯૭૬ “શ્રમણ સંઘના વિચ્છેદ સાથે શાસનનો વિચ્છેદ થશે”એ વાક્યના પરમાર્થથી સમગ્ર જનતાના ઝેરનું | નિવારણ કરો. ૯૭૭ ત્યાગીને તિરસ્કારનારાઓ ત્યાગને તિરસ્કારે છે એટલું તેઓને યાદ કરાવો. ૯૭૮ જગતના જુગારખાના, ચોરી, દોંગાઇ, ધાડપાડવી વિગેરે કામો અસ્મલિત ચાલે છે તે ઉંડી સમજણને આભારી છે, માટે સંસારસાગરમાં ડુબાડનાર (જ્ઞાન છે) પાપમય સમજણ છે, અને તેથી વિમુખ થનારાઓ સંસાર સાગરનો પાર પામે છે તે પણ તાત્ત્વિક સમજણને આભારી છે, આથીજ ડુબાડનાર જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધન અને તારનાર જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો પ્રથમ સમ્યક વિવેક કરવો તેજ આવશ્યક છે. ૯૭૯ પાંચ અનુત્તર અને સિધ્ધી એ બે સ્થાનો જ્ઞાની માટે રજીસ્ટર છે, અર્થાતુ અજ્ઞાની હાયે જેટલી ઉથલપાથલ કરે પણ તે બે સ્થાનોએ જઈ શકે નહિ. ૯૮૦ અજ્ઞાનીઓ નવ ગ્રેવયેક સુધી જઈ શકે છે, પણ તેઓ ઉપરના સ્થાનોમાં કેમ જઈ શકતા નથી તેનું વાસ્તવિક કારણ તપાસતાં શીખો. ૯૮૧ જ્ઞાનીઓ જ્ઞાન દ્વારા એ અજ્ઞાનનો અંધાપો દુર કરી, બીજા અનેક ફાયદાઓ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય કેળવે તેમાં શંકાને સ્થાન નથી. ૯૮૨ પુત્રની જરૂરીયાત સ્વીકારનારા પિતાઓ જ્યારે સુપુત્ર બનાવવા માટે હરદમ ઉધમી હોય છે, તેવી રીતે જ્ઞાનની જરૂરીયાત સ્વીકારનારા આત્માર્થીઓ પણ જ્ઞાનને સમ્યકજ્ઞાન બનાવવા માટે હરદમ - ઉધમી હોય છે. ૯૮૩ પુત્રને સુપુત્ર બનાવવા માટે માસ્તરની જરૂર છે, જ્યારે જ્ઞાનને સમ્યકુશાન બનાવવા માટે મહાત્માની અનિવાર્ય જરૂરીયાત સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. (અનુસંધાન પા. ૨૦૬) ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ આવી છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી; તેમજ બાઈડીંગ પણ બેદરકારને લઇને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું. લી. તંત્રી.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy