SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૩૦-૧-૩૪ ૨૧૪ શ્રી સિદ્ધચક્ર માનવા તૈયાર પણ વર્તમાનમાં હેય પદાર્થ મુકવાનો અવસર આવે ત્યારે જીવને ગભરામણ થાય છે. જૈન-દર્શનનું આસ્તિક્ય જુદું છે. આસ્તિક કહેવાતા લોક પણ નાસ્તિકના ભાઈ છે. કહેવાતો આસ્તિક આ લોકના દુઃખથી ડરે, ઈહ લોકના સુખને ઇચ્છે આવતા ભવના નરકાદિ દુઃખોથી ડરે, દેવલોકના દિવ્ય સુખો વસ્તુતઃ દુસહ દુઃખોને ઇચ્છે એવા આસ્તિકોને જૈન દર્શનમાં સ્થાન નથી. અન્યદર્શન શાસનું આસ્તિકપણું જુદું છે અને જૈન દર્શનનું આસ્તિકપણું જુદું છે. પુણ્ય, પાપ, પરભવની, માન્યતાઇતર દર્શનકારો એ પણ સ્વીકારી છે અને જીવ છે, જીવ નિત્ય છે, પોતે કર્મ નો કર્તા હોવાથી ગુન્હેગાર છે, પોતે કર્મના ભોકતા છે કર્મની સજાને પાત્ર છે એમ પણ માને છે, તેટલા માત્રથી જૈનદર્શનનું આસ્તિકય કહેવાય નહી. પણ ઉપરના ચારસ્થાન ઉપરાંત મોક્ષ અને મોક્ષના ઉપાય (સાધનો)એ છ સ્થાનની માન્યતા સ્વીકારે ત્યારેજ જૈન દર્શનનું આસ્તિક્ય આવ્યું સમજવું. સુવાસના નિઝરણાં જ જે કસ્તુરીમાંથી લસણની ખુશબો નીકળે તે કસ્તુરીની યથાર્થતામાં ખપવાને લાયક નથી તેવી રીતે આસ્તિકપણું આવ્યા પછી આસ્તિક તરીકે ગણાયા પછી સંસારના હેતુ સ્વરૂપ ધન કુટુંબ કબીલા-બાયડી છોકરાં ભાઇભાડું સંબંધી લસણની દુર્ગધ સમ્યગદષ્ટિના સુધામય સદ્વિચારમાં સહજ પણ વાસીત ન હોય. જમાઇ નિહવ પાકયો, છોકરી નિન્દવને અનુસરી, તે તરફ લોકનો લાંબો સમૂહ ઢળ્યો પણ પ્રભુ મહાવીરદેવને હૃદયમાં એજ રહ્યું કે હું માર્ગે સ્થિત છું અને બીજાને માર્ગે લાવું અને તાલાવેલી તેઓશ્રીની તેજ હતી, એટલું જ નહિ પણ માર્ગસ્થ મુનીવરો અને શ્રાવકોની પણ તેવીજ રીતિ હતી. પેટશાસ્ત્રમાં પોલાણ પડે તો લેશભર ફિકર નથી, પેટલાદ પુરીના રક્ષણ માટે રાત ન જોવાય, દિવસ ન જોવાય, ધર્મ ન જોવાય, સગાંવહાલાં ન જોવાય, દેવ-ગુરૂ અને ધર્મ ન જોવાય અનેકેન પ્રકારે પેટલાદપુરીની આબાદી રહેવી જોઈએ પણ આત્મપુરીની અખંડ જમાવટ માટે સંવરનો સતતુ પ્રયત્ન કરવો જરૂરી છે, નિર્જરાની નિરંતર આચરણીયતા છે, મોથા માર્ગની સર્વ મુરાદાબર લાવવા સર્વ સમર્પણીય છે એ વિચારતું નથી કારણ જૈન દર્શનમાં એકી અવાજે પંકાયેલ સમ્યગુદર્શનની ગેરહાજરી છે. ચંદન-કસ્તુરી વિગેરે સુગંધી પદાર્થોના લેનારાઓ, છેદનારાઓ, છોડનારાઓ, કાપનારાઓ અને બાળનારાઓને પણ સુગંધી આપવી તે જેમ તેનો ધર્મ છે, તેવી રીતે નાશવંત શરીરની અસારતા ધન-કુટુંબ વિગેરેમાં કારમી મમતા આદિના સ્વરૂપને સમજનાર સખ્યદ્રષ્ટિ સર્વત્ર સુવાસનાં નિઝરણાં અઅલિત ઝરાવે છે. જ્યારે આસ્તિકતામાં જીવ આવ્યો એટલે શત્રુને પણ સુગંધ આપવી જોઇએ. દષ્ટાંત તરીકે નાક કપાવી ચૂનો ચોપડાવનાર સ્ત્રી લંપટી ચંwોધતન અને કૌશામ્બી નગરીના શતાનીક (ઉદાયનનો પિતા)ની શીલવંતી રાણી લાવણ્યથી ભરપુર અત્યંત રૂપવાન રાણી કે જે ચેડા મહારાજાની પુત્રી મૃગાવતીના નામે શાસ્ત્રમાં મશહૂર થયેલ છે તે પ્રસંગ વિચારવા જેવો છે. જે લોક કામાંધ હોય તે નિતિ અનિતિ ધર્મ અધર્મ યોગ્યાયોગ્ય દેખી શકતાં નથી, ઘુવડ દિવસે પણ દેખી શકતો નથી. નાતરીયાની જન ચંડપ્રઘોતરાજા શતાનીકરાજા પર દૂત મોકલે છે, કહેવરવ્યા મુજબ દૂત મૃગાવતી રાણીનું માંગુ કરે છે, માંગુ કરનાર સાટુ (સાળીનો વર) છે, ચંડપ્રદ્યોતનની રાણી તે પણ ચેડા મહારાજની પુત્રી છે એટલે પરસ્પર સગી બહેનનો સંબંધ છે, છતાં કુલાંગાર કમાંધો જગતમાં કાળો કેર ક્યાં સુધી વર્તાવે છે ! ખરેખર ! શાસકારોએ સ્ત્રી મમત્વ આગળ પિતૃમમત્વ, ભાd મમત્વ, માd મમત્વાદિ સર્વ તુચ્છ જણાવ્યાં છે. (ચાલુ)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy