________________
૨૦૮
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર જોડે ધંધા રોજગારમાં લગાડે ઈત્યાદિક ક્રિયા કરાવીને શ્રાવક ક્ષેત્રનો ઉદ્ધાર કરે તો ઉપદેશથી મુનિને દોષ લાગે કે કેમ?
સમાધાન- ધર્મના ઉદ્દેશથી ધર્મોપદેશ આપેલ છે એટલે ધર્મોપદેશકને દોષ નથી.
પ્રશ્ન ૬૨૩- ધાર્મિક ક્રિયાથી રહિત કંદમૂલાદિક ભક્ષણ કરનારને શ્રીમંત શ્રાવક આર્થિક આદિ મદદ કરે તો પાપબંધ કે લાભ ?
સમાધાન- વ્યવહારને અનુસરતી શ્રદ્ધાથી ધાર્મિક હોય તો મદદ કરનારને લાભ છે. પ્રશ્ન ૨૨૪- અસતિપોષણમાં કુતરા બિલાડા વિગેરે જેવાં કે ઢુંઢીયા તેરાપંથી સાધુઓ પણ લેવા, કારણ કે ધર્મથી રહીતને પોષણ કરવાથી અસતિપોષણ ખરું કે નહિ?,
સમાધાન- અસતિપોષણ નામનો અતિચાર-કર્મ થકી ભોગોપભોગ પરિમાણમાં છે, અને તે અતિચાર હોવાથી તે દ્વારા (કુટ્ટ નખાના વિગેરેથી) આજીવિકા કરે તો તે ઉપર્યુક્ત અતિચાર લાગે છે, અન્યથા નહિં; અર્થાત્ દયાદિભાવે ધર્મરહિતને દેવાથી અસતિપોષણ નામનો અતિચાર લાગતો નથી.
પ્રબ ૨૨૫- શ્રીચરમતીર્થંકર પ્રભુમહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ, વિરતિના પરિણામ કોઈના ન થયા, તો તેમાં એકીલા દેવતાજ જો હોય તો તો પરિણામ થાયજ નહિં, જેથી દેવતા સિવાય બીજા મનુષ્યો પણ સમજવા કે કેમ?
સમાધાન- એકલા દેવતાજ પ્રથમના સમવસરણમાં આવ્યા તે પણ આશ્ચર્યજ છે, અને કેટલાક આચાર્યો જણાવે છે કે તે દેશના અવસરે મનુષ્યો પણ હતા, છતાં દેશના નિષ્ફળ ગઈ તેથી આશ્ચર્ય એમ જણાવે છે. ઉપર્યુક્ત બને બિના શાસ્ત્રસંગત છે, તત્વ કેવલીગમ્ય છે.
પ્રશ્ન ૬૨- વીરસ્વામિ મોક્ષે જતાં પંચાવન પુણ્ય ફલ અધ્યયન પંચાવન પાપફલ અધ્યયન કહી ગયા તો તે અધ્યયન કોઈપણ સૂત્રમાં હાલ નંખાયાં છે કે નહિ?
સમાધાન- સ્પષ્ટ શાસ્ત્રિય ઉલ્લેખ જોવામાં આવ્યો નથી, પણ તે અધ્યયનના ભાવ શાસ્ત્રોમાં છે. પ્રશ્ન દર દેવતાને નિદ્રાનો ઉદય હોય કે નહિ? હોય તો તે નિદ્રા કોઈપણ ટાઈમે લે કે બિલકુલ ન લે, જો ન લે તો પછી ઉદય કેવી રીતે સમજવો. પાંચ નિદ્રામાં દેવતાને કઈ નિદ્રા હોય?
સમાધાન- આપણને જાગતાં જેમ પ્રદેશોદય હોય છે તેવી રીતે દેવતાને પ્રદેશોદય તીવ્ર હોય, અર્થાત્ રસઉદય મંદ હોય તેથી આંખ ઉઘાડી રહે છે; અને પાંચે નિદ્રા સંભવી શકે છે.
પ્રશ્ન ૬૨૮- તીર્થકર મહારાજનો આહાર વિહાર કોઈ ન દેખે, પરંતુ જ્યારે બાલ્યાવસ્થામાં પ-૬-૮ વરસના થાય, ત્યારે તેમનાં માતા પિતા આહાર કરાવે નિહાર કરાવે તે વખતે માતા પિતા પણ દેખે કે નજ દેખે?
સમાધાન- આહાર નિહારનો વિધિ અદશ્ય છે, પરંતુ આહાર નિહાર અદશ્ય નથી, અર્થાત્ આહાર ચાવવાનો વિધિ વિગેરે અદશ્ય છે.
પ્રશ્ન :૨૯- તીર્થકર મહારાજ છદ્મસ્થાવસ્થામાં જ્યારે પાણી પાત્ર એટલે હાથમાં આહાર કરે પાતરા વિગેરે રાખેજ નહિ તો પછી ઠંડીલ જગ્યા ત્યારે શુદ્ધી કેવી રીતે કરે.
સમાધાન- કંકપક્ષીના જેવી સ્પંડીલની જગ્યા હોવાથી નિર્લેપતાજ હોય. પ્રશ્ન ૩૦- તીર્થકરના ડીલમાં મનુષ્યની માફક બેઘડીમાં સમુછિમ ઉત્પન્ન થાય કે નહિ? સમાધાન- થાય તેમાં બાધ નહિ, પણ શુષ્ક ચંડીલ હોય તેથી સંભવ ઓછો છે.