________________
તા. ૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક
૧૯
નવી વિના
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
ફિ વફા કા તો હા હા હી હો હો હો હો હો હો હો ( 8 )
રખડપટ્ટીનું વાસ્તવિક કારણ એ છે કે “પોતે પોતાને અને પોતાના ગુણોને તે દેખી શકતો નથી ?” ક્રોડપર્વની જીંદગીઓ ફોગટ ગઈ !!! આત્મોન્નતિ માટે ચાર પૈસાની નોંધપોથી રાખતાં શીખો. કર્મરૂપી મદોન્મત્ત મેનેજરના હાથમાં કાયર બનેલ જીવ એકટર. કર્મશોષણની ધારણાવાળાએ પણ ધ્યેયની સીઢીપર સ્થિર રહી શકતા નથી. ઉદ્દેશના ઉભરાતા ઉમળકામાં પ્રવૃત્તિના ફાંફા !! ઉદ્દેશ પ્રમાણે વર્તનારા હજારે-લાખે બ્લકે ક્રોડે એક! આજના ઉદ્દેશો કેવળ સભારંજન માટે છે! કર્મશોષણના સિદ્ધાંતોથી ભરપૂર જૈનશાસન. તપાવેલ લાલચોળ લોખંડના ગોળા પર બાવનાચંદનના છાંટણા !!! હિત પ્રાપ્તિનો આધાર પ્રાયઃ પ્રારબ્ધ ઉપર છે. સન્માર્ગદર્શક સર્વજ્ઞ-સિધ્ધાંતોને સમજવાની અનિવાર્ય જરૂર ! કર્મની અનુકુળતામાં અટવાયા કરે, અને પ્રતિકુળતામાં પોકાર મુકનારાઓનું દિગ્દર્શન છે!
धर्मोमंगलमुत्कृष्टं, धर्म:स्वर्गापवर्गद धर्मः संसारकान्तारोल्लंधने मार्गदशकः ॥१॥ કોડપૂર્વની જીંદગીઓ એમને એમ ચાલી જાય છે.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી શ્રીમદ્ ધર્મઘોષ સૂરિ ધનવાહનને ધર્મોપપોદેશ આપે છે તે જણાવતાં કહી ગયા કે આ જીવ અનાદિકાળથી રખડે છે રખડવાનું એકજ કારણ છે. અંદર શું રહ્યું છે તે આખી જીંદગીની આંખની મહેનત કરે તો પણ દેખાય નહીં કેમકે ચક્ષુ બાહ્ય તરફ ધ્યાન રાખે છે, એનું ધ્યાન અંદર જતું નથી. તેત્રીસ સાગરોપમની સ્થિતિમાં પણ ચક્ષુએ અંદર દેખ્યું નહીં. નારકી તિર્યંચ વિગેરે દેખનારા છે, પણ બીજાને બહારનાને દેખનારા નથી. પડની અંદર પણ ચક્ષુ દેખાતી નથી. ક્રોડપૂર્વની જીંદગીઓ એમને એમ ચાલી જાય છે, તેવી રીતે આ આત્મા ચક્ષુની માફક દરેક જીંદગીમાં બહાર દેખી રહ્યો છે, પોતાને કે પોતાના ગુણ ને દેખતો નથી. ચક્ષુ પોતાનેજ દેખે તો અંદરના ભાગમાં રહેલી વસ્તુને ક્યાંથી દેખે ! પારકા માટે એટલે કે ધન મિલકત માટે મુનીમો રાખ્યા, એ મુનીમો હજારના પગાર લે તે કબુલ, તેને માટે હાથ હાથ લાંબા ચોપડા રાખે