________________
તા. ૧૫-૧-૩૪
શ્રી ત્રિક
૧૮e
સમાલોચના | જ
નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે.
તંત્રી. ૧. ભગવાન શ્રીમહાવીરદેવ ગર્ભથી વિશિષ્ટ મતિ શ્રત અને અવધિજ્ઞાનવાળા હતા, જ્ઞાનને લીધે
માતાપિતાની સ્થિતિ જાણી હતી, અને તેથી તેઓશ્રીએ કરેલા અભિગ્રહમાં મોહનો ઉદય કારણ નહોતો એવું કથન કરનારે ગૃહાવસ્થાનના અભિગ્રહને ઔદયિક ને મહોદયથી ન ગણવો તો શું ક્ષાયોપથમિક ગણવો ? શાસ્ત્રકારો તો સ્પષ્ટ મહોદયથી દર્શાવી ઔદયિક
જણાવે છે. ૨. સોપક્રમકર્મનો ઉદય પણ રહેવા દેવો એ ઔદયિકભાવ નથી, એમ કહેનારે ઔદયિકભાવ
જાણવા માટે કંઇક નવું શીખવું જોઈએ. ૩. શ્રીકલ્પસુબોધિકા અને શ્રીકકિરણાવલી વિગેરેમાં તો અચેનાપ-ર્તવ્યો તથા કચેષાં વિધેયતયા
એમ કહી તે અભિગ્રહનું અવસ્થાન દ્વારા નહિં પણ ભક્તિ દ્વારા અનુકરણ કરવા જણાવે છે, માટે સુજ્ઞોને શાસ્ત્ર પંક્તિઓ વિચારવી જરૂરી છે, અવસ્થાન જો મહોદયજન્ય ન હોતો તો તેને
કર્તવ્ય તરીકે દર્શાવત, ભક્તિઅંશને જુદો પાડીને તેને વિધેયપણે કહેત નહિ. ૪. સૂત્રકારમહર્ષિઓ તથા શ્રી તીર્થકર ભગવાન પણ નિર્ગથમહાત્માઓને તપઉપધાનમાં ને આચાર્ય
મહારાજને કેવલ અર્થવ્યાખ્યામાં તારકદેવનું અનુકરણ કરવા જણાવે તો પણ અનુકરણીયતા માનવાના ખોટા વિરોધના જોરે અનુકરણીતા નજ દેખે, અને એકલી આજ્ઞાજ દેખે તેમાં આશ્ચર્ય શું ?
જૈન-પ્રવચન. ૧. મુનિ સંમેલનમાં પૂ. મુનિ મહારાજાઓ પધારે એવા નિમંત્રણથીજ પાટણ અને જામનગરનો
જમાનાવાદ જમીનદોસ્ત થયો છે. કેમકે તે શાસ્ત્ર, મુનિસમુદાય, ઈતર સ્થાનના શ્રાવકસંઘોને
સત્તાથી દૂરજ હતો. ૨. શાસન સંચાલક નિઃસ્પૃહ ત્યાગી મહાત્માઓને જડવાદની વૃદ્ધિની આશામાં જકડાયેલો જાવાન
જે પોપશાહી કહે છે તે તેની આશાજ તે વ્યક્તિને ઓળખાવવા માટે બસ છે. તરૂણ જૈન. ૧. કઈ વર્ષોથી અને આચાર્યોએ મુનિસંમેલનનો નિર્ણય કરેલો જાહેરજ છે. ૨. મુનિસંમેલનની તારીખ પહેલાં ક્યા આચાર્યો એકઠા થશે, અને ચર્ચવા લાયક વિષયો નક્કી
કરશેજ. ૩. મુનિસંમેલન શાસનના ઉદ્ધાર માટેજ થશે. આધિપત્ય, કલ્પના, વાહ્યાતવાતો અને શાસનને
નહિં માનનારાનું ત્યાં સ્થાન જ નહિ રહે. તેનું કાર્ય શાસ્ત્રધારે નિરભિમાનપણેજ થશે. ૪. શાસનહિતૈષીયો પોતાના મતભેદોને શાસ્ત્રાધારે સંમેલનમાં એકાંતમાં કે પછી પણ નિવારવા તૈયાર જ હોય. મુંબઈ સમા. તા. ૧૦-૧-૩૪
(અનુસંધાન પા. ૧૮૬)