________________
૧ર૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૨-૩૩
.
. .
.
. .
. . . .
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
જો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો કોઈપણ ધર્મી પોતાના ધર્મને ખોટો માનતો નથી. આંધળો ન દેખે તેવી રીતે આખું જગત અરૂપી દ્રવ્યદેખી શકતું નથી. સ્પશદિગુણ વગરના દ્રવ્યો તે અરૂપી દ્રવ્યો. ગુણી વગર ગુણ રહ્યો સાંભળ્યો નથી. અરૂપી હોય તો ચીજ નહિ અને ચીજ હોય તે અરૂપી નહિ એવી માન્યતાવાળાઓ માટે સાદી સમજ.
ધર્મમાં મનગમતું હાંકવામાં તૈયાર થવાનું વાસ્તવિક કારણ! વ્યવહારુ ચીજની પરિક્ષા માટે લાંબા કાળનો અભ્યાસ. સાચો કે ખોટો ધર્મ વળગવો એ પણ મુશ્કેલ છે !! धर्मो मंगलमृत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः ॥ धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ ધર્મ એ બાહ્ય વસ્તુ નથી માટે જ તેની ખાત્રી મૂશ્કેલ છે.
શાસ્ત્રકાર મહારાજ કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમંચદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સુચવી ગયા કે જે વસ્તુ પોતાની માલીકીની, કબજાની છતાં તેનો સદુપયોગાદિ કયા પરિણામને નિપજાવે છે તે વાત ખ્યાલમાં ન હોય, હોય છતાં તેને માટે યોગ્ય પ્રયત્ન આદરી શકે તેમ ન હોય તો તેને તેની વ્યવસ્થા કરવાનો હક્ક મળતો નથી. તેમ ધર્મ જગતની પ્રસિદ્ધ ચીજ છે. અનાર્ય ક્ષેત્રમાં ધર્મ અપ્રસિદ્ધ હોય, કેમકે અનાર્યનું લક્ષણ એજ કે જેમાં ધર્મ એવા અક્ષર કાને પડ્યા ન હોય, સ્વપ્ન પણ ન આવ્યા હોય તે અનાર્ય ગણાય છે. તેથી આર્યક્ષેત્રમાં ધર્મ એ પ્રસિદ્ધ જ છે; પણ ધર્મ એ ગંધ, રસ, સ્પર્શાદિકથી ગમ્ય પદાર્થ નથી. પાંચઈદ્રિયજ્ઞા વિષયમાંથી કોઈ વિષયવાળો પદાર્થ હોત તો તેની પરીક્ષા કરવામાં એક મિનિટ પણ લાગતે નહિ. ફલાણાનો સાચો ધર્મ ફલાણાનો જુઠો ધર્મ એ વાક્યો ઠામઠામ સાંભળીએ છીએ, પણ એવો વાદવિવાદ દુનિયાના ઈદ્રિય ગમ્ય પદાર્થમાં ન હોય રેશમને સુતર કહેનારો કોઈ નીકળ્યો? તે નીકળે તો કેટલો ટકે? કડવાને મીઠું કહેનારો મીઠાને કડવું કહેનારો કોઈ નીકળ્યો? કદાચ કોઈ કહીદે તો તેનું વચન કોણ માને ? ફુલની સુગંધને દુર્ગધ કહેનારો, વિષ્ટાને સુગંધી કહેનારો, સોનાને પિત્તળ, પિત્તળને સોનું કહેનાર કોણ નીકળ્યો ! કદી બેભાન ! કોઈ કહેનાર નીકળે તો તેનું વચન માનવા કોણ તૈયાર છે? ઈદ્રિયોના વિષયોની સત્ય અસત્યની પરીક્ષા લાવવા માટે ત્રણ મિનિટની વાર લાગતી નથી, અને